શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈંડિયાનો આ ઓલરાઉન્ડર નહીં રમે
નવી દિલ્લી: ટીમ ઈંડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને શ્રીલંકા સામે 16 નવેમ્બરેથી શરૂ થનારી ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. પંડ્યાને આ શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પણ બીસીસીઆઈએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું કે પંડ્યાને શ્રીલંકા સામેની આગામી ટેસ્ટ શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે.
પંડ્યાને ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી અને નિર્ણાયક મેચની અંતિમ ઓવરમાં કોલિન ગ્રેડહોમનો શોટ પકડવા જતા હાથમાં ઈજા થઈ હતી. આ ઈજાના કારણે પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે.
પ્રથમ બે ટેસ્ટમાં ટીમ ઈંડિયા આ પ્રકારે છે. – વિરાટ કોહલી(સુકાની), લોકેશ રાહુલ, મુરલી વિજય, શિખર ધવન, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે(ઉપ કેપ્ટન), રાહિત શર્મા, રિદ્ધીમાન સાહા(વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર અને ઈશાંત શર્મા.