Wrld Cup: આમિરની ઓવરમાં આઉટ થયા વગર જ પેવેલિયન જતો રહ્યો વિરાટ કોહલી, જાણો કેમ
abpasmita.in | 17 Jun 2019 07:57 AM (IST)
48મી ઑવરમાં મોહમ્મદ આમિર બૉલિંગમાં આવ્યા ત્યારે તેણે ચોથો બોલ બાઉન્સર ફેંક્યો અને આ બોલ વિરાટ કોહલીનાં માથાની ઉપરથી નીકળી ગયો હતો.
નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ વર્લ્ડકપમાં રવિવારે પ્રથમ બેટિંગ કરતાં પાંચ વિકેટે 336 રન બનાવ્યા હતા. ભારત તરફતી રોહિત શર્માએ 140, વિરાટ કોહલીએ 77 અને કેએલ રાહુલે 57 રન બનાવ્યા. આ મેચમાં એક એવી ઘટના પણ બની જેના તરફ બધાનું ધ્યાન ખેંચાયું. ભારતની ઇનિંગની 48મી ઓવરમાં વિરાટ કોહલી મોહમ્મદ આમિરના બોલ પર કેચ આઉટ થયા. 48મી ઑવરમાં મોહમ્મદ આમિર બૉલિંગમાં આવ્યા ત્યારે તેણે ચોથો બોલ બાઉન્સર ફેંક્યો અને આ બોલ વિરાટ કોહલીનાં માથાની ઉપરથી નીકળી ગયો હતો. વિરાટે આ બૉલને હૂક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બેટ પર બૉલ આવ્યો નહીં. આમિરે આઉટની અપીલ કરી અને અમ્પાયરે પણ આઉટ આપ્યો અને વિરાટ કોહલી પેવેલિયન જતો રહ્યો. વિરાટ પેવેલિયન જતા જ રીપ્લેમાં સ્પષ્ટ થઈ ગયું કે તે આઉટ નહોતો. અલ્ટ્રાએજમાં ક્યાંય પણ એવું ના જોવા મળ્યું કે બૉલ બેટને અડ્યો હોય, પરંતુ વિરાટ કોહલીને કદાચ આ વાતનો અનુભવ નહોતો થયો. જો કે ત્યારબાદ પેવેલિયનમાં બેઠેલો વિરાટ પોતાની ઉતાવળ પર નિરાશ જોવા મળ્યો. ઘણીવાર બેટ હવામાં ઝડપથી ફેરવવામાં આવે છે ત્યારે કેટલીકવાર અવાજ આવે છે. વિરાટ કોહલી સાથે પણ કદાચ આવું જ થયું. જો કે સત્ય એ છે કે કોહલી આઉટ થયા વગર જ પેવેલિયન જતો રહ્યો હતો.