ICCના નવા નિયમ ધોની માટે બની શકે છે મુસીબત, સંજય માંજરેકરે ચેતવ્યા

નવી દિલ્હીઃ આઈસીસીએ 28 સપ્ટેમ્બરથી ક્રિકેટના કેટલાક નિયમમાં ફેરફાર કર્યા છે. પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે ફેક ફીલ્ડિંગના નવા નિયમ પર વિરોધ નોંધાવ્યો છે. તેમનું માનવું છે કે, આ નિયમ એમએસ ધોની માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. સંજય માંજરેકરે કહ્યું કે, જેવી રીતે ધોની બોલ પકડીને તેને સ્ટમ્પ્સ પર થ્રો કરવાનો દેખાવ કરે છે. તે વખાણવાલાયક છે, તેના પર પેનલ્ટી ન લાગવી જોઈએ. માંજરેકરે આઈસીસીને પણ આ નિયમ પર ફરી એક વખત વિચારવા માટે કહ્યું છે.
સંજય માંજરેકરે ટ્વીટમાં લખ્યું, ફેક ફિલ્ડીગ માટે પાંચ પેનલ્ટી રન આપવાના હાલમાં લાગૂ કરાયેલા ક્રિકેટનો નવો નિયમ સૌથી વધારે હાસ્યાસ્પદ છે. ICCને તેના પર વિચાર કરવા માટે આગ્રહ કરું છું. તેમણે કહ્યું કે, બેટિંગ કરનારી ટીમ પર પણ 5 રનની પેનલ્ટી લગાવવી કેવું રહેશે. જો કોઈ બેટ્સમેન ફેક સ્ટેપ આઉટ કરવાનો પ્રયત્ન કરે છે, શું તે બોલરને ભ્રમિત કરવું નહીં કહેવાય? ફેક ફિલ્ડીંગ નિયમનો હટાવવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે ICCના નવા નિયમો 28મી સપ્ટેમ્બર કે તે પછીથી શરૂ થઈ રહેલી સીરિઝમાં લાગૂ કરવામાં આવી રહ્યા છે. એટલે કે ભારત-ઓસ્ટ્રેલિયા વન-ડે સીરિઝ પર તેનો અસર નહોતા પડ્યો. કારણ કે તે પહેલા શરૂ થઈ હતી. પરંતુ હવે 7મી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી ટી-20 સીરીઝમાં આ નિયમ લાગૂ પડશે.
જણાવીએ કે, જો કોઈ ફીલ્ડર બોલ પકડી ન શકે અને થ્રો કરવાનો ઈશારો કરો તો તે ફેક ફીલ્ડિંગમાં ગણાશે. એવામાં ફીલ્ડિંગ ટીમ પર પેનલ્ટી લગાવીને બેટિંગ ટીમને પાંચ વધારાના રન આપવામાં આવે છે.