ભારત પરત ફરી અંડર 19 વિશ્વ કપ વિજેતા ટીમ, રાહુલ દ્રવિડે જણાવી ખાસ પાંચ વાતો, જાણો
દ્રવિડે કહ્યું, આજની ટીમના સદસ્યો આત્મવિશ્વાસની ભરપૂર છે તે તેમના પ્રદર્શનમાં જોવા મળે છે.
એક સવાલના જવાબ પર રાહુલ દ્રવિડે કહ્યું હુ પાકિસ્તાનના ડ્રેસિંગ રૂમમાં તેમને સાંત્વના અથવા શુભેચ્છા આપવા નથી ગયો. મે પાકિસ્તાના ફાસ્ટ બોલર સાથે મુલાકાત કરી, તેણે મને પ્રભાવિત કર્યો. મારુ માનવું છે કે એક કોચ તરીકે પોતાની આસપાસ કોઈ પ્રતિભાને જોવી આપણને ખુશી આપે છે. પાકિસ્તાના કોચે પણ આપણા યુવા ખેલાડીઓના વખાણ કર્યા હતા.
નવી દિલ્લી: ઓસ્ટ્રેલિયાને હરાવીને અંડર 19 વિશ્વ કપમાં જીત મેળવી ભારતીય યુવા ટીમ કોચ રાહુલ દ્રવિડ અને સહયોગી સ્ટાફ સાથે ભારત પરત ફર્યા છે. મુંબઈની મેરિયટ હોટલમાં આયોજીત એક પ્રેસ કૉંફ્રંસમાં કોચ રાહુલ દ્રવિડે ભારતીય ક્રિકેટને અનુરૂપ અનેક મહત્વની વાતો કરી. કેપ્ટન પૃથ્વી શોએ પોતાના કોચ, સહયોગી સ્ટાફ અને બીસીસીઆઈનો આભાર માન્યો હતો.
રાહુલ દ્રવિડે ખુલાસો કરતા જણાવ્યું કે અમે ઈચ્છતા હોત તો સીનિયર ટીમ માટે કરિયરની શરૂઆત કરી ચુકેલા વોશિંગટન સુંદરની ટીમમાં પસંદગી થઈ શકતી હતી, પરંતુ એવા ખેલાડીની પસંદગી ન કરવી તે વિચારીને કરવામાં આવેલો નિર્ણય હતો. અમે ઈચ્છતા હતા કે આવા ખેલાડીઓ પ્રથમ ક્રિકેટ રમે અને ત્યાં મુકાબલો કરે. અમે એક શરૂઆત કરી છે. આ મારો અંગત વિચાર છે. આ નીતિ પર આગળ કોઈ નિર્ણય બીસીસીઆઈ કરશે.
દ્રવિડે કહ્યું, આટલુ શાનદાર પ્રદર્શન, ભીડની સામે રમવુ અને મીડિયાનો સામનો કરવો તેમને ભવિષ્ય માટે મજબૂત બનાવશે. પરંતુ તેમની સાચો પડકાર હવે શરૂ થશે. અને મે આ મુદ્દે તેમની સાથે વાત કરી છે. દ્રવિડે કહ્યું ટીમના છોકરાઓએ સીનિયર ટીમ સુધી પહોંચવા માટે સારૂ પ્રદર્શન કરવું જરૂરી છે.
દ્રવિડે કહ્યું છેલ્લા 15-16 મહિનાઓ દરમિયાન અમે અને ટીમે એક પ્રક્રિયાનું પાલન કર્યું. અમારી યોજના અને ખેલાડીઓને વિકસીત કરવાની તૈયારીમાં માટે અમે સારી પ્રક્રિયા કરી તેનુ પાલન પણ કર્યું.