✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

IND v ENG: સીરિઝ હાર બાદ દિગ્ગજોએ લીધી ટીમ ઈન્ડિયાને આડે હાથ, જાણો કોણે શું કહ્યું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Sep 2018 08:49 PM (IST)
1

લંડનઃ ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચ પૈકીની ચોથી ટેસ્ટમાં હાર સાથે જ ભારતીય ટીમે શ્રેણી પણ ગુમાવી દીધી છે. શ્રેણી હાર બાદ ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીથી લઈ અનેક દિગ્ગજોએ ટીમ ઈન્ડિયાને આડે હાથ લીધી છે.

2

પૂર્વ સ્પિનર મુરલી કાર્તિકે લખ્યું, આ હારને પચાવી શકવી મુશ્કેલ છે. કારણકે આપણે જીતી શકતા હતા. બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ બેટ્સમેનોએ સારી બેટિંગ ન કરી. જોકે ટીમ ઈન્ડિયાએ સારો પ્રયાસ કર્યો.

3

હર્ષા ભોગલેએ લખ્યું, દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝની જેમ આ સીરિઝ પણ ગુમાવી. દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડની ટીમ પહેલા જેટલી મજબૂત અને સક્ષમ નથી, પરંતુ કદાચ ટીમ ઈન્ડિયામાં પણ તે દમ નથી જે આપણે વિચારતા હતા.

4

સંજય માંજરેકરે લખ્યું, કોઈપણ એક ફેક્ટર હાર કે જીતનું કારણ નથી બનતી. પરંતુ આખરે મોઈન અલી અને અશ્વિન વચ્ચેના અંતરે બંને ટીમમાં સ્પષ્ટ તફાવત જણાઈ આવ્યો.

5

મોહમ્મદ કૈફે લખ્યું, સેમ કરને પ્રથમ ટેસ્ટમાં અને બાદમાં આ ટેસ્ટમાં બેટિંગથી કમાલ દેખાડ્યો. પરંતુ મોઇન અલીએ બંને ટીમો વચ્ચે ફરીથી અંતર વધારી દીધું.

6

આકાશ ચોપડાએ કહ્યું, નીચલા ક્રમના બેટ્સમેનોનો સહયોગ બંને ટીમો વચ્ચે આંખે વળગીને ઉડ્યો. ભારતના લોઅર મિડલ ઓર્ડર બેટ્સમેનોએ રન બનાવવા જોઈતા હતા પરંતુ તેમ ન થઈ શક્યું.

7

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ટ્વિટ કરીને એમ્પાયર ધર્મસેનાની પ્રશંસા કરતા લખ્યું, શાનદાર મેચ... પરંતુ ઈંગ્લેન્ડને અભિનંદન. વિરાટ કોહલીએ શાનદાર રમત દાખવી. પરંતુ મારા હિસાબે આ સ્થિતિમાં કુમાર ધર્મસેના બેસ્ટ એમ્પાયર છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • IND v ENG: સીરિઝ હાર બાદ દિગ્ગજોએ લીધી ટીમ ઈન્ડિયાને આડે હાથ, જાણો કોણે શું કહ્યું
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.