ઈંગ્લેંડ અને ભારત વચ્ચે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટમેચમાં ત્રીજા દિવસની રમતની શરૂઆતમાં જ આશ્વિનની વિકેટ પડી હતી. અશ્વિન 72 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી મેચમાં જાડેજા અને જયંત યાદવ આવ્યા હતા. જાડેજાએ 90 રન ખડકીને આઉટ થયો હતો. તે પછી જયંત યાદવ (55) આઉટ થયો. આ પછી ઉમેશ યાદવ અને મહોમ્મદ શામી રમતમાં હતા. જેમાં 12 રને ઉમેશ યાદવ આઉટ થતાં ભારતની પહેલી ઈનિંગનો અંત આવ્યો હતો. આ સાથે જ ભારત 134 રનની લિડથી 417 રને ઓલ આઉટ થયું હતું.
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલ ત્રીજી ટેસ્ટના બીજા દિવસના અંતે ભારતે પ્રથમ ઇનિંગમાં 6 વિકેટે 271 રન બનાવી લીધા છે. આ પહેલા ઇંગ્લેન્ડ પ્રથમ ઇનિંગમાં 283 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું.