વર્લ્ડકપમાંથી બહાર થતાં ભાવુક થયો શિખર ધવન, વીડિયો પોસ્ટ કરી ટીમને આપી શુભકામના
abpasmita.in | 19 Jun 2019 10:55 PM (IST)
ટીમ મેનેજર સુનીલ સુબ્રમણ્યમે મીડિયા સાથેની વાતચીતમાં તેની પુષ્ટી કરી હતી. સાથે બીસીસીઆઇએ ટ્વિટ કરીને ધવન બહાર થયાની જાહેરાત કરી હતી.
નવી દિલ્હીઃ ભારતીય ટીમના ઓપનર શિખર ધવન ઇજાના કારણે વર્લ્ડકપ 2019માં બહાર થઇ ગયો છે. તેને હાથના અંગૂઠામાં ઇજા હતી અને તે વર્લ્ડકપ પૂરો થાય ત્યાં સુધીમાં ઠીક થવાની સંભાવના નહોતી. ટીમ મેનેજર સુનીલ સુબ્રમણ્યમે મીડિયા સાથેની વાતચીતમાં તેની પુષ્ટી કરી હતી. સાથે બીસીસીઆઇએ ટ્વિટ કરીને ધવન બહાર થયાની જાહેરાત કરી હતી. વર્લ્ડકપમાંથી બહાર થયા બાદ શિખર ધવન ભાવુક થઇ ગયો હતો અને તેણે એક વીડિયો સંદેશ પોસ્ટ કર્યો હતો. ધવન વીડિયોમાં કહી રહ્યો છે કે હું દુખી છું કે હું હવે વર્લ્ડકપ 2019માં ટીમ ઇન્ડિયાનો હિસ્સો નહી રહું. દુર્ભાગ્યથી મારા અંગૂઠાની ઇજા સમય પર ઠીક ના થઇ. પરંતુ ટુનામેન્ટ ચાલુ રહેશે. હું મારી ટીમના સાથીઓ, ક્રિકેટ પ્રેમીઓ અને આપણા દેશનો પ્રેમ અને સમર્થન મળવા બદલ આભારી છું.ટીમને મારી શુભકામનાઓ છે.