જેસન રોય 38 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે જો રૂટ માત્ર 3 રન અને મોર્ગન 19, બટલર 53 રને આઉટ થયો હતો.
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે વનડે માટે કંઇ ખાસ ફેરફાર કર્યો નથી. મોટાભાગના ખેલાડીઓ જબરદસ્ત ફોર્મમાં છે. જેથી જોવાનું એ રહેશે કે આજે ઇંગ્લેન્ડ ટી-20 2-1થી થયેલી હારનો બદલો લેવા કોશિશ કરશે કે કેમ. આગામી વર્ષે અહીં ઇંગ્લેન્ડમાં જ વર્લ્ડકપ રમાવવાનો હોવાથી ટીમ ઇન્ડિયા માટે આ ખા ખાસ મોકો છે.
ટીમ ઈન્ડિયા જો ત્રણ વનડે મેચની સીરીઝમાં ઈગ્લેંડને 3-0થી હરાવે તો ICC રેન્કિંગમાં પ્રથમ ક્રમાંક પર પહોંચી શકે છે. ભારતે હાલમાં જ આયરલેંડને બે મેચની ટી-20માં 2-0થી હાર આપી હતી. ત્યારબાદ ઈગ્લેંડને ત્રણ ટી-20 મેચની સીરીઝમાં 2-1થી હાર આપી હતી.