ઇગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમ જાહેર, કોહલીને કેપ્ટન બનાવાયો, યુવરાજ-નેહરાની વાપસી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Jan 2017 04:45 PM (IST)

1
આ સીરિઝની પ્રથમ વન-ડે પૂણેમાં 15 જાન્યુઆરીના રોજ રમાશે. બીજી મેચ 19 જાન્યુઆરીના રોજ કટકમાં રમાશે. 22 જાન્યુઆરીના રોજ કોલકત્તામાં ત્રીજી મેચ રમાશે. તે સિવાય પ્રથમ ટી-20 મેચ કાનપુર ખાતે 26, જાન્યુઆરીના રોજ રમાશે. 29,જાન્યુઆરીના રોજ બીજી તો 1,ફેબ્રુઆરીના રોજ ત્રીજી ટી-20 મેચ રમાશે.
2
ઇગ્લેન્ડ સામેની વન-ડે સીરીઝમાં યુવરાજસિંહ અને સુરેશ રૈનાની વાપસી થઇ છે. જ્યારે ટી-20 મેચમાં રિષભ પંતનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતના ફાસ્ટ બોલર આશિષ નહેરાનો ટી-20 ટીમમાં સમાવેશ કરાયો છે.
3
મુંબઇઃ ઇગ્લેન્ડ વિરુદ્ધ વન-ડે અને ટી-20 સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ધોની દ્ધારા કેપ્ટન પદ છોડ્યા બાદ વિરાટ કોહલીને બંન્ને ફોર્મેટ માટે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.