આજની ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ રમાય જ નહીં તેવા સંજોગો, જાણો શું છે કારણ ?
આ પહેલાં 2013માં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ પડતાં મેચ 40-40 ઓવરની કરાઈ હતી. પાકિસ્તાનની ઈનિંગ્સ પતી પછી વરસાદ પડતાં ભારતને 22 ઓવરમાં 102 રનનું ટાર્ગેટ અપાયું હતું. ધોનીની ટીમે આ ટાર્ગેટ પાર પાડીને પાકિસ્તાન સામે ચેમ્પિયન્સ ટ્રોફીમાં હારવાનો સિલસિલો રોક્યો હતો.
બર્મિંગહામમાં એ પહેલાં ગયા અઠવાડિયે રમાયેલી ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ પાકિસ્તાનની વોર્મ અપ મેચ પણ 10.2 ઓવરની રમત પછી બંધ રાખવી પડી હતી. ધોધમાર વરસાદ તૂટી પડતાં આગળ મેચ રમવી શક્ય નહોતી બની. બર્મિંગહામનો આ રેકોર્ડ જોતાં ભારતીય ક્રિકેટ ચાહકોએ વરસાદ ના પડે તેવી પ્રાર્થના કરવી પડશે.
બર્મિગહામમાં આ સીઝનમાં સતત વરસાદ પડી રહ્યો છે. બે દિવસ પહેલાં શુક્રવારે રમાયેલી ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની મેચમાં વરસાદ પડતાં મેચ 46-46 ઓવરની કરવી પડી હતી. એ પછી ઓસ્ટ્રેલિયાની ઈનિંગ્સ દરમિયાન 9 ઓવર નંખાઈ પછી વરસાદ તૂટી પડતાં આગળ મેચ રમી શકાઈ નહોતી અને પડતી મૂકવી પડી હતી.
આ આગાહી સાચી પડે તો ભારત-પાકિસ્તાન મેચ ધોવાઈ જાય ને ક્રિકેટ ચાહકોના ઉત્સાહ પર પાણી ફરી વળે. રવિવારે સાંજે બરફનું તોફાન આવે અને છૂટોછવાયો વરસાદ પડે તેવી આગાહી પણ કરાઈ છે. આ આગાહી સાચી પડે તો ભારત-પાકિસ્તાન મેચમાં ડકવર્થ-લુઈસ નિયમ લાગુ કરવો પડે તેવી પણ શક્યતા છે.
બર્મિંગહામઃ ભારત અને પાકિસ્તાન બે વર્ષ પછી એકબીજા સામે ક્રિકેટના મેદાન પર ટકરાવાનાં છે તેના કારણે ક્રિકેટ ચાહકોમાં ઉત્તેજના છે. જો કે ક્રિકેટ ચાહકોના આ ઉત્સાહ પર પાણી ફરી વળે તેવા સમાચાર બર્મિંગહામથી આવી રહ્યા છે અને તેના કારણે ભારત-પાકિસ્તાન મેચ ના રમાય તેવું પણ બની શકે છે.
આઈસીસ ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ વિલન બની શકે છે. સ્થાનિક હવામાન ખાતા તથા હવામાન અંગે વિશ્વસનિય આગાહીઓ કરવા માટે જાણીતી વેબસાઈટ વેધરડોટકોમના જણાવ્યા પ્રમાણે આજે દિવસ દરમિયાન બર્મિંગહામમાં વરસાદ પડે તેવી શક્યતા 40 ટકા છે.