નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ પ્રથમ બે ટી20 મેચમાં ભારયી ફિલ્ડરોએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું. પ્રથમ ટી20 મેચ તો ભારતે ગમે તેમ કરીને જીતી લીધી, પરંતુ બીજી ટી20 મેચમાં ભારતીય ફિલ્ડિંગનું સ્તર એટલું ખરાબ રહ્યું કે ભારત મેચ હારી ગયું. ભારતના ખરાબ ફિલ્ડિંગ જોઈને વિરાટ કોહલી પણ ખેલાડીઓ પર ભડક્યો હતો.


તિરુવનંતપુરમ ટી20 મેચમાં ભારતીય ફિલ્ડરોએ બે સરલ કેચ છોડ્યા જેના કારણે ભારતને 8 વિકેટે હારમનો સામનો કરવો પડ્યો. હૈદરાબાદમાં રમાયેલ પહેલા ટી-20 મેચમાં ભારતે 3 કેચ છોડ્યા હતા. આ રીતે બે મેચમાં ભારતે કુલ 5 કેચ છોડી દીધા હતા.



વોશિંગ્ટન સુંદરે બે મેચમાં બે ખુબજ સરળ કેચ છોડ્યા એટલું જ નહી ઋષભ પંતનું પ્રદર્શન પણ નબળું રહ્યું. તિરૂવનંતપુરમ ટી-20 મેચમાં એક કેચ ઋષભ પંતે છોડ્યો. બીજા ટી-20 મેચમાં ભુવનેશ્વર કુમારે એક ઓવરમાં વોશિંગ્ટન સુંદરે લેન્ડલ સિમંસ અને ઋષભ પંતે ઈવિન લુઈસના કેચ છોડ્યા હતા. જે સમયે સિમંસનો કેચ છુટી ગયો એ સમયે તે 6 રન પર હતો જ્યારે લુઈસ 16 રન બનાવી રમી રહ્યો હતો.

સિમંસનો કેચ છુટવો ભારતને ખુબજ મોંઘો પડ્યો. કેમકે તેણે અણનમ 67 રનના જોરે વિન્ડિઝે ભારતને 8 વિકેટે હાર આપી હતી. વેસ્ટઈન્ડિઝની ઈનિંગ્સમાં ભુવનેશ્વર કુમારે 5મી ઓવર કરવા આવ્યો. ભુવનેશ્વરે આ ઓવરથી બીજા બોલ પર લેન્ડલ સિમંસને મોટો ઝાટકો આપ્યો. બોલ ખુબજ ઉપર જતો રહ્યો. વોશિંગ્ટન સુંદરે આ આસાન કેચને છોડી દીધો. સુંદરે સિમન્સને નવુ જીવતદાન આપ્યુ.