નવી દિલ્હીઃ  ભારતે ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટી-20 22 રને જીતી હતી.તે સાથે જ ભારતે 3 મેચની સિરીઝમાં 2-0ની અજય લીડ મેળવી લીધી છે. ભારત વિન્ડીઝ વિરુદ્ધ 8 વર્ષ પછી વિદેશમાં સિરીઝ જીત્યું છે. ટીમ છેલ્લે 2011માં કિંગ્સ્ટન ખાતે સિરીઝ જીતી હતી. તેમજ વિન્ડીઝ સામે સતત બીજી ટી-20 સિરીઝમાં જીત મેળવી છે.


ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે શ્રેણી ભલે જીતી હોય પરંતુ નંબર 4ની પોઝિશન અને મિડલ ઓર્ડરના બેટ્સમેનો માથાનો દુઃખાવો બન્યા છે. વર્લ્ડકપમાં પણ ભારતને આ સમસ્યા હતી. વર્લ્ડકપમાં ભારતે 4 નંબર પર રિષભ પંત, વિજય શંકર, દિનેશ કાર્તિકને અજમાવ્યા હતા તેમ છતાં સફળતા મળી નહોતી.

વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ બે ટી20માં ચાર નંબર રિષભ પંત અને પાંચમા નંબર પર મનીષ પાંડેને ઉતારવામાં આવ્યા હતા. જોકે બંને તેમનો પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહ્યા હતા. પંતે બંને મેચમાં બેજવાબદારી ભર્યા શોટ મારીને વિકેટ ફેંકી દીધી હતી.

#Article370 મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણીએ શું કર્યુ ટ્વિટ, જાણો વિગત

#Article370 ભાવનગરમાં સાધુએ અનોખી રીતે કરી ઉજવણી, તોપ ફોડી સલામી આપી સરકારના નિર્ણયને આવકાર્યો