આજની મેચમાં રોહિત શર્મા અને ધોનીની કેપ્ટનશીપ પર ખાસ નજર રહેશે. હાલના ફોર્મને જોઇએ તો ચેન્નાઇની જીતની સંભાવના વધુ દેખાઇ રહી છે.
બન્ને ટીમો ઓવરઓલ 26 ટી20 મેચો રમી ચૂકી છે, જેમાં 14 વાર મુંબઇ ઇન્ડિયન્સ જીત નોંધાવી છે, જ્યારે 12 વાર ચેન્નાઇ સુપર કિંગ્સે બાજી મારી છે. જો વાનખેડે સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને ટીમો વચ્ચે અહીં 8 મેચો રમાઇ છે, મુંબઇ ઇન્ડિયન્સે પાંચ મેચ જીતી છે જ્યારે ચેન્નાઇ સુપરકિંગ્સે ત્રણમાં જીત મેળવી છે.
મેચ ડિટેલ્સ....
આઇપીએલની આજની 15મી મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે, રાત્રે 8 વાગે મેચનું જીવંત પ્રસારણ થશે.