બ્રેટ લીએ સ્ટાર સ્પોર્ટ્સ પર ક્રિકેટ કનેક્ટેડ શોમાં હ્યું કે, હું સમજું છું કે તેના ખેલાડી થોડી મોટી ઉંમરના પણ પરિપક્વ છે. ટીમમાં એવા ઘણા ખેલાડી છે તે લાંબા સમયથી તેમની સાથે છે. મારા મતે આ તેમની સૌથી મોટી તાકાત છે.
CSKએ તેના ખેલાડીઓના મુખ્ય સમૂહને જાળવી રાખ્યો છે. જે વર્ષોથી પોતાની સફળતા માટે જવાબદાર છે. એમએસ ધોની કેપ્ટન,સુરેશ રૈની, રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, ઈમરાન તાહિર વર્ષોથી ટીમની તાકાત રહ્યા છે. ઉપરાંત શેન વોટસન તથા હરભજન સિંહ જેવા અનુભવી ખેલાડીઓનું કોમ્બિનેશન રહ્યું છે.
આ ઉપરાંત સીએસકે પાસે શાનદાર સ્પિન આક્રમણ છે જે તમને યુએઈમાં સૌથી ખતરનાક બનાવશે. હરભજન, જાહેજા, તાહિર, પીયૂષ ચાવલા, કર્ણ શર્મા અને મિશેલ સેન્ટર આ બધા અનુભવી છે અને યુએઈની જમીન પર અસરકારક સાબિત થઈ શકે છે. આ સંજોગોમાં ચેન્નઈની ટીમ આ વખતે આઈપીએલ ખિતાબ જીતવાની પ્રબળ દાવેદાર હોવોનું બ્રેટ લીએ જણાવ્યું હતું.
ગુજરાત સરકારના ક્યા ટોચના પ્રધાનના ભાઈએ કર્યો આપઘાત ? જાણો શું હતું કારણ ?
દેશના આ મોટા રાજ્યમાં આવતીકાલથી ખૂલશે ધર્મસ્થાનો, જાણો સરકારે શું મુકી શરત