CSK vs GT, IPL Final: રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની ફાઈનલ મેચ રમાઈ શકી ન હતી. વાસ્તવમાં વરસાદને કારણે બંને ટીમો વચ્ચે મેચ રમાઈ શકી ન હતી. જોકે, ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે કે IPL ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. મતલબ, હવે સોમવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ફાઇનલ મેચ રમાશે, પરંતુ જો સોમવારે પણ અમદાવાદમાં વરસાદ પડે અને મેચ ન થાય તો શું થશે. તો પછી વિજેતાની પસંદગી કેવી રીતે થશે?


જો સોમવારે પણ વરસાદ પડે તો?


વાસ્તવમાં જો વરસાદના કારણે રિઝર્વ ડે એટલે કે સોમવારે પણ મેચ યોજાઇ નહી શકે તો લીગ સ્ટેજ પછી જે ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર હશે તેને વિજેતા માનવામાં આવશે. આ રીતે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળની ગુજરાત ટાઇટન્સને ફાયદો થશે અને તે IPL 2023ની ચેમ્પિયન બનશે. ચેન્નઈ સુપર કિંગ્સે નુકસાન સહન કરવું પડશે કારણ કે લીગ તબક્કા પછી ગુજરાત ટાઇટન્સ ટીમ પોઈન્ટ ટેબલમાં ચેન્નઈ સુપર કિંગ્સથી ઉપર હતી.


લીગ સ્ટેજ બાદ ગુજરાત ટાઇટન્સ ટોચ પર હતી


ગુજરાત ટાઇટન્સ લીગ તબક્કામાં ટોચ પર હતી. ગુજરાત ટાઇટન્સના 14 મેચમાં 20 પોઈન્ટ હતા. ચેન્નઈ સુપર કિંગ્સના 14 મેચમાં 17 પોઈન્ટ હતા. ચેન્નઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે હતી. ગુજરાત ટાઇટન્સે 10 લીગ મેચ જીતી છે, જ્યારે 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સે 8 મેચ જીતી હતી, જ્યારે 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી. આ રીતે ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સને 1-1 પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો હતો.


IPL Final 2023: 'રિઝર્વ ડે' પર જૂની ટિકિટથી મેચ જોઈ શકાશે, ફેન્સ માટે ફાઈનલને લઈ મોટુ અપડેટ


CSK vs GT, IPL Final 2023: IPLની 16મી સિઝનની ફાઇનલ મેચ વરસાદના વિક્ષેપને કારણે હવે રિઝર્વ-ડે એટલે કે 29મી મે (સોમવાર)ના રોજ રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની હતી. અમદાવાદ શહેરમાં સાંજથી જ જોરદાર વરસાદ વરસી રહ્યો હતો. આ કારણે  જ્યારે કટ ઓફ સમય સુધી વરસાદ બંધ ન થયો   ત્યારે મેચ અધિકારીઓએ હવે મેચ 29 મેના રોજ રમાડવાનું નક્કી કર્યું છે. આવ સ્થિતિમાં સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા દર્શકોને પણ મહત્વની નોટિસ આપવામાં આવી છે.


દર્શકોને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોટી સ્ક્રીન પર તેમની ફિઝિકલ ટિકિટ સુરક્ષિત રાખવા માટે કહેવામાં આવ્યું છે. જેથી જ્યારે તે આવતીકાલે એટલે કે 29 મેના રોજ મેચ જોવા સ્ટેડિયમ પહોંચે ત્યારે તે આ ટિકિટ દ્વારા પ્રવેશ કરી શકે. ચાહકો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર પણ ગણી શકાય કારણ કે રવિવાર હોવાના કારણે પણ ઘણા ચાહકો મેચ જોવા માટે આવ્યા હતા. આ  સ્થિતિમાં હવે તેમણે બીજા દિવસે ફરીથી સ્ટેડિયમ આવવા માટે તે જ ટિકિટ સુરક્ષિત રાખવી પડશે.