અમદાવાદઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 ની ફાઇનલ મેચ 28 મે (રવિવાર) ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની હતી પરંતુ વરસાદના કારણે મેચ રદ્દ થતા હવે ફાઇનલ મેચ આજે એટલે કે 29 મેના રોજ સાંજે સાડા સાત વાગ્યે રમાશે. ફાઈનલ મેચમાં એમએસ ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વચ્ચે ટક્કર થશે.


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 28 મેની સાંજે એટલો વરસાદ પડ્યો કે મેચમાં ટોસ પણ થઈ શક્યો ન હતો. પરિણામ એ આવ્યું કે ફાઇનલ મેચ રિઝર્વ ડેના રોજ રમાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લગભગ 11 વાગ્યાની આસપાસ બંને અમ્પાયરોએ CSK કોચ સ્ટીફન ફ્લેમિંગ અને ગુજરાત ટીમના કોચ આશિષ નેહરાની સલાહ લીધા બાદ મેચ સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. હવે CSK અને ગુજરાત ટાઇટન્સની ફાઇનલ મેચ રિઝર્વ ડે એટલે કે સોમવાર (29 મે)ના રોજ યોજાવાની છે. ટોસ 29 મેના રોજ સાંજે 7.00 કલાકે થશે, જ્યારે મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે.


આ સમીકરણ અનામત દિવસ માટે છે


હવે સવાલ એ છે કે 29 મેના રોજ પણ વરસાદ પડે તો શું થશે? જો 29મી મેના રોજ પણ વરસાદના કારણે ઓછામાં ઓછી પાંચ ઓવરની રમત શક્ય ન બને તો સુપર ઓવર કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે જો સુપર ઓવર પણ શક્ય ન બને તો ગુજરાત ટાઇટન્સ ટીમ ટાઇટલ જીતશે. 


ગુજરાત ટાઇટન્સ પોઇન્ટ ટેબલમાં ટોચ પર છે, જ્યારે ચેન્નઇ સુપર કિંગ્સ બીજા સ્થાને છે. ગુજરાતે 14 માંથી 10 મેચ જીતી અને 20 પોઈન્ટ મેળવ્યા અને તેનો નેટ રન રેટ 0.809 હતો. બીજી તરફ, CSKએ 14માંથી 8 મેચ જીતી હતી અને તેના 17 પોઈન્ટ હતા.


IPL Final 2023: 'રિઝર્વ ડે' પર જૂની ટિકિટથી મેચ જોઈ શકાશે, ફેન્સ માટે ફાઈનલને લઈ મોટુ અપડેટ


CSK vs GT, IPL Final 2023: IPLની 16મી સિઝનની ફાઇનલ મેચ વરસાદના વિક્ષેપને કારણે હવે રિઝર્વ-ડે એટલે કે 29મી મે (સોમવાર)ના રોજ રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની હતી. અમદાવાદ શહેરમાં સાંજથી જ જોરદાર વરસાદ વરસી રહ્યો હતો. આ કારણે  જ્યારે કટ ઓફ સમય સુધી વરસાદ બંધ ન થયો   ત્યારે મેચ અધિકારીઓએ હવે મેચ 29 મેના રોજ રમાડવાનું નક્કી કર્યું છે. આવ સ્થિતિમાં સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા દર્શકોને પણ મહત્વની નોટિસ આપવામાં આવી છેદર્શકોને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોટી સ્ક્રીન પર તેમની ફિઝિકલ ટિકિટ સુરક્ષિત રાખવા માટે કહેવામાં આવ્યું છે. જેથી જ્યારે તે આવતીકાલે એટલે કે 29 મેના રોજ મેચ જોવા સ્ટેડિયમ પહોંચે ત્યારે તે આ ટિકિટ દ્વારા પ્રવેશ કરી શકે. ચાહકો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર પણ ગણી શકાય કારણ કે રવિવાર હોવાના કારણે પણ ઘણા ચાહકો મેચ જોવા માટે આવ્યા હતા. આ  સ્થિતિમાં હવે તેમણે બીજા દિવસે ફરીથી સ્ટેડિયમ આવવા માટે તે જ ટિકિટ સુરક્ષિત રાખવી પડશે