PBKS playoffs scenario: આજે ધર્મશાલામાં પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રવિવારનો શાનદાર મુકાબલો રમાઈ રહ્યો છે. પંજાબ માટે આ મેચ 'કરો યા મરો' જેવી છે, કારણ કે જો ટીમ આ મેચ હારી જશે તો તેમના માટે પ્લેઓફના દરવાજા લગભગ બંધ થઈ જશે. અત્યાર સુધી સળંગ 5 મેચ હારી ચૂકેલી પંજાબની ટીમ માટે હવે દરેક મેચ જીતવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો સમજીએ પંજાબ કિંગ્સનું હાલનું સમીકરણ શું કહે છે.

પંજાબ કિંગ્સની હાલની સ્થિતિ

પંજાબની ટીમ આજે પોતાની 13મી લીગ મેચ રમવા મેદાનમાં ઊતરી છે. અત્યાર સુધી રમાયેલી 12 મેચમાંથી પંજાબે 6 મેચ જીતી છે અને 5 માં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ વરસાદના કારણે રદ થઈ હતી. આ પ્રદર્શન સાથે પંજાબ પાસે અત્યારે 13 પોઈન્ટ છે અને તે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.

Continues below advertisement
Continues below advertisement

શું પંજાબ હારી જશે તો ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે?

જો પંજાબ આજે બેંગલુરુ સામે હારી જાય, તો તેમની 13 મેચમાં 13 પોઈન્ટ જ રહેશે.

ત્યાર બાદ તેમની પાસે માત્ર 1 જ લીગ મેચ રમવાની બાકી રહેશે. જો તેઓ છેલ્લી મેચ જીતી પણ જાય, તો પણ તેમના કુલ 15 પોઈન્ટ જ થશે.

પોઈન્ટ ટેબલની વર્તમાન સ્થિતિ જોતાં, કોઈપણ ટીમ માટે 16 થી ઓછા પોઈન્ટ સાથે પ્લેઓફમાં ક્વોલિફાય થવું લગભગ અશક્ય લાગી રહ્યું છે.

એટલે કે, આજની હાર પંજાબને લગભગ ટુર્નામેન્ટમાંથી બહાર કરી દેશે. હવે જોવાનું એ રહેશે કે ટીમ મેદાન પર કેવું પ્રદર્શન કરે છે.

આ પણ વાંચોઃ IPL 2026: શું KKRને હરાવીને ગુજરાત ટાઇટન્સ પ્લેઓફમાં જશે? સમજો GTનું ગણિત

જીત મળશે તો આશા જીવંત રહેશે

બીજી તરફ, જો પંજાબ આજની મેચ જીતી લે છે, તો તેમની પ્લેઓફની આશા અકબંધ રહેશે. આ જીતથી તેમના 13 મેચમાં 15 પોઈન્ટ થઈ જશે. આ પછી જો તેઓ પોતાની અંતિમ મેચ પણ જીતી લે, તો તેમના કુલ 17 પોઈન્ટ થઈ જશે. 17 પોઈન્ટ સાથે પ્લેઓફમાં જગ્યા બનાવવી લગભગ નક્કી થઈ જશે.

છેલ્લી 5 મેચનો રેકોર્ડ ચિંતાજનક

નોંધનીય છે કે, પંજાબ સતત 5 મેચ હારી ચૂક્યું છે. ટીમને રાજસ્થાન રોયલ્સ, ગુજરાત ટાઇટન્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ જેવી મજબૂત ટીમો સામે હારનો સામનો કરવો પડ્યો છે. આવામાં આજની મેચ જીતીને કમબેક કરવું પંજાબ માટે મોટો પડકાર બની રહેશે.

આ પણ વાંચોઃ 2027 વર્લ્ડ કપ માટે વિરાટ કોહલીનું BCCI ને સીધું અલ્ટીમેટમ: 'મારી જરૂર ના હોય તો કહી દો'