નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ અને ભારત વચ્ચે આવતીકાલથી ટી20 સીરીઝ શરૂ થઇ રહી છે, સીરીઝને લઇને ખેલાડીઓ વચ્ચે શાબ્દિક યુદ્ધની શરૂઆત થઇ ચૂકી છે. મેચના એક દિવસ અગાઉ વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓએ ભારતીય ટીમને ચેતાવણી આપતા હારનો સામનો કરવા તૈયારી રહેવાનું કહ્યું છે.


વેસ્ટ ઇન્ડિઝના બે ક્રિકેટર કિરોન પોલાર્ડ અને સુનીલા નારાયણે ભારતીય ટીમને ચેતાવણી આપી છે કે, અમે સીરીઝમાં ભારતીય ટીમને ખરાબ રીતે હરાવીશું. ઉલ્લેખનીય છે કે, પોલાર્ડ અને સુનીલ નારાયણની લાંબા સમય બાદ વેસ્ટ ઇન્ડિઝ વાપસી થઇ છે, જેથી તેમના પર સારુ પ્રદર્શન કરવાનો ઉત્સાહ દેખાઇ રહ્યો છે.



તેમને કહ્યું કે, વેસ્ટ ઇન્ડિઝ યુવા ક્રિકેટરોથી ભરેલી છે, સાથે અનુભવી અને યુવાનું સારુ મિશ્રણ છે. એટલે મેચ ખુબ રોમાંચક રહેશે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મેચનુ દર્શકો ભરપુર મનોરંજન લઇ શકશે. અમે સારુ પ્રદર્શન કરીને ટીમ ઇન્ડિયાને હરાવીશું. અમે ભારતને સીરીઝમાં બેદમ કરી દેશું.