આ કારણે લાલ નહીં લીલા કલરની જર્સીમાં મેદાનમાં ઉતરી હતી વિરાટ સેના, જાણો વિગતે
મેદાન પર ફેન્સ પણ રેડના બદલે ગ્રીન કલરના ઝંડા અને ટી શર્ટમાં ટીમને સપોર્ટ કરતાં નજરે પડતા હતા.
આઈપીએલની એક સીઝનમાં આરસીબીના ખેલાડીઓ સાઇકલ લઈને સ્ટેડિયમમાં આવ્યા હતા, પરંતુ ફેન્સ માટે સ્ટેડિયમ સુધી આવવા માટે સીએનજી રિક્ષાનો પ્રબંધ કરવામાં આવ્યો હતો.
બેંગ્લોરઃ આઈપીએલમાં રવિવારે સાંજે રમાયેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં વિરાટ કોહલીના નેતૃત્વવાળી આરસીબીની ટીમ 19 રનથી મેચ ભલે હારી ગઈ હોય પરંતુ એક સંદેશ આપવામાં સફળ રહી હતી. રવિવારે આરસીબીની ટીમ તેના ઘરેલું મેદાન પર રાજસ્થાન રોયલ્સ સામે રમવા ઉતરી તો રેડ જર્સીમાં નહીં પરંતુ ગ્રીન જર્સીમાં નજરે પડી હતી.
જોકે, આરસીબીને ગ્રીન જર્સી ખાસ ફળી નથી અને મોટાભાગની મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે.
આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન અજિંક્ય રહાણને ટોસ વખતે છોડ પણ ભેટમાં આપ્યો હતો. આરસીબી વર્ષ 2011થી તેના ગો ગ્રીન ઇનિશિએટિવ અંતર્ગત આમ કરતી આવી છે.
આ પાછળનું પણ એક કારણ હતું. આરસીબી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવા માટે ગ્રીન કલરની જર્સી પહેરીને આવી હતી. આ કારણે ટીમ વૃક્ષ અને પર્યાવરણના પ્રતીક ગ્રીન કલરની જર્સી પહેરીને ચાલુ સીઝનમાં પ્રથમ વખતે મેદાનમાં ઉતરી હતી.
આરસીબી સતત લોકોને વૃક્ષારોપણ કરવાની અપીલ કરતી આવી છે. ટીમના ખેલાડીઓ અનેક વખત ફેન્સને બસો દ્વારા સ્ટેડિયમમાં આવવાની અપીલ કરતા હોય છે.