લસિથ મલિંગા બાંગ્લાદેશ સામેની ત્રણ વનડે મેચોની સીરીઝની પહેલી મેચ બાદ એટલે કે ઘરેલુ મેદાન અને ઘરેલુ દર્શકોની હાજરીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લેશે, મલિંગાને પુરા માન અને સન્માન સાથે સન્યાસ માટે શ્રીલંકન ટીમ તૈયાર છે. આ વાતની માહિતી શ્રીલંકન કેપ્ટન દિમુથ કરુણારત્નેએ કરી હતી.
લસિથ મલિંગાને બાંગ્લાદેશ સામેની સીરીઝ માટેના 22 ખેલાડીઓના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો હતો. ત્રણ મેચોની વનડે સીરીઝ 26 જુલાઇ, 28 જુલાઇ અને 31 જુલાઇએ રમાશે. એટલે કે લસિથ મલિંગા પહેલી વનડે 26મી જુલાઇએ આજે રમીને સન્યાસ લઇ લેશે.