IPLને પણ લાગ્યું નોટબંધીનું ગ્રહણ, નથી મળી રહ્યા મોટા સ્પોન્સર
મેડીસન વર્લ્ડના ચેરમેન બલસારા કહે છે કે જનરલ મુડ ફીક્કો છે. આપણે હજુ પણ નોટબંધીની અસરમાં છીએ અને લોકો મોટા વચનો આપવાથી દુર રહે છે. મજબુત ગ્રોથ રેટ મેળવવામાં કેટલાક મહિનાઓ લાગશે. ગયા વર્ષે ર૦ કરોડ ખર્ચનાર મેસ્વીયર બ્રાન્ડ સ્પાઇકર લાઇફ સ્ટાઇલનું કહેવુ છે કે અમે જરૂરી ખર્ચ કરશુ.
ગયા વર્ષે IPLએ રપ૦૦ કરોડની આવક મેળવી હતી. જેમાં એડ સેલ્સ અને સ્પોન્સરશીપ સામેલ હતી. બ્રોડકાસ્ટ રાઇટ હોલ્ડર સોની પીકચર્સને એડ સેલ્સથી ૧૧૦૦ કરોડની આવક મળી હતી.
અંગ્રેજી સમાચરામાં પ્રકાશિત અહેવાલ અનુસાર, એડ એજન્સી દિત્સુના ચેરમેન આશિષ ભસીનનું કહેવુ છે કે બીસીસીઆઇ ખુદ મુશ્કેલીમાં છે અને એનાથી આઇપીએલના માર્કેટીંગ ઉપર અસર પડી છે. સાથોસાથ નોટબંધીના કારણે કંપનીઓ પણ ખર્ચને લઇને વધુ સાવચેત બની છે.
નવી દિલ્હીઃ દેશની સૌથી વધુ નફાકારક ટૂર્નામેન્ટ IPL T20ના માર્કેટિં પર બોર્ડ ઓફ ક્રિકેટ કન્ટ્રોલ ઇન ઇન્ડિયા (BCCI)માં હાલમાં ચાલતી ઉથલપાથલ અને નોટબંધીની અસર પડી રહી છે. ચાલુ વર્ષે IPLની દસમી સીઝન હશે અને તેને લઈને માર્કેટિંગ સાથે જોડાયેલ નહીંવત છે. હજુ સુધી સ્પોન્શરશિપને લઈને કોઈ મોટી ડીલની જાહેરાત થઈ હતી. વિતેલા વર્ષમાં મોડી ડાલ્સની જાહેરાત ફેબ્રુઆરીમાં જ શરૂ થઈ જતી હતી.