ધોની પોતાની હેલ્મેટ પર રાષ્ટ્રધ્વજ તિરંગો કેમ નથી લગાવતો ? કારણ જાણીને ધોની તરફ થશે માન
ધોનીની અંદર દેશભક્તિ છલોછલ ભરેલી છે. ધોનીને ઈન્ડિય આર્મીમાં લેફ્ટેનન્ટ કર્નલની માનદ પદવી પણ આપવામાં આવી છે. ધોનીએ ઘણીવાર કહ્યું છે જો તે ક્રિકેટર ના બન્યો હોત તો આર્મીમાં હોત.
નવી દિલ્લી: ભારતીય ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓના હેલ્મેટ પર તમને તિરંગો જોવા મળતો હશે, પરંતુ પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની હેલ્મેટ પર તમને માત્ર બીસીસીઆઈનો લોગોજ જોવા મળશે. ધોનીની હેલ્મેટ પર તિરંગો ન હોવાનું કારણ ખૂબજ ખાસ છે. કારણ જાણશો તો તમને પણ ધોની પ્રત્યે સમ્માન વધી જશે.
નિયમ અનુસાર રાષ્ટ્રીય ધ્વજનો કોઈ પણ સામાન જમીન પર ના મૂકી શકાય. જો ધોની હેલમેટને વારંવાર મેદાનની બહાર મોકલે તો ઘણો સમય વેડફાઈ જાય. આ જ કારણે ધોની તિરંગાનું સમ્માન જળવાઈ રહે તે માટે તિરંગા વગરની હેલ્મેટ પહેરે છે.
ગેમ ચેન્જર તરીકે ઓળખાતો ધોની વિકેટકીપર હોવાથી મેચ દરમિયાન ઘણી વખત હેલ્મેટ ઉતારીને મેદાનમાં મુકવી પડે છે. જો ધોનીની હેલ્મેટ પર તિરંગો હોય તો હેલ્મેટ નીચે મૂકે તો તિરંગાનું અપમાન થાય.