પાકિસ્તા અને આયર્લેન્ડ વચ્ચે ટી-20 મેચ ડબલિનમાં 12 અને 14 જુલાઈના રોજ રમાવાની હતી. પીસીબીના મુખ્ય કાર્યકારી વસીમ ખાને કહ્યું કે, ‘આ દુખની વાત છે કે, કોવિડ-19ના કારણે અમને આયર્લેન્ડનો પ્રવાસ સ્થગિત કરવો પડી રહ્યો છે. અમને આશા છે કે જલ્દીજ મેદાન પર વાપસી કરીશું. અમે ક્રિકેટ આયર્લેન્ડના નિર્ણયનું સન્માન કરીએ છે.
ક્રિકેટ આયર્લેન્ડના મુખ્ય કાર્યકારી વારેન ડેયુટરોમે કહ્યું કે, “આયર્લેન્ડની સરકારે એક મેના રોજ જે પ્રતિબંધ હટાવવાની પ્રક્રિયાની જાહેરાત કરી છે તેના કારણે અમે પાકિસ્તાન સાથે યોજનારી બે ટી-20 આંતરરાષ્ટ્રયી મેચોનું યજમાની કરી શકીએ નહીં.”