ઉલ્લેખનીય છે કે આગામી 16મી જૂને વર્લ્ડકપની સૌથી મોટી કહી શકાય એવી ભારત પાકિસ્તાનની મેચ છે. ભારત ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે મળેલી હારનો હિસાબ સરભર કરવા આતુર રહેશે જ્યારે પાકિસ્તાન વર્લ્ડ કપ શ્રૃંખલાઓમાં ભારત સામે હારવાની પરંપરા તોડવા આતુર રહેશે. જોકે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાને જીત મેળવીને આઈસીસી શ્રૃંખલાઓમાં ભારત સામે લાંબા સમયથી ચાલી રહેલી પરાજયની પરંપરાને તોડી હતી.
ઑસ્ટ્રેલિયા સામેની મેચમાં મળેલી કારમી હાર બાદ સરફરાઝે બૉલર્સ અને બેટ્સમેન પર હારનું ઠીકરૂ ફોડ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે એક સમયે 140-3 વિકેટ જ ગુમારી હતી જોકે, અમે 15 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી.