ભારતની હાર છતા હાર્દિક-ભુવી પર આફરીન થયા આ સ્ટાર ક્રિકેટર, જાણો શું કહ્યું...
પોતાના જીવન પર બની રહેલી ફિલ્મ વિશે જણાવતા તેમણે કહ્યું કે, આ અંગે અગાઉ ઘણા પ્રોડ્યૂસર્સે તેમની સાથે વાત કરી હતી પણ તેમણે કોઈને પરવાનગી આપી નહોતી. અત્યારે ઑટોબાયોગ્રાફી લખવા વિશે પણ તેઓ વિચારી રહ્યાં નથી.
કપિલનું માનવું છે કે, હાલમાં ભારતીય ટીમ ખૂબ સંતુલિત છે. દક્ષિણ આફ્રિકામાં બેટ્સમેનોને તકલીફ પડી રહી છે પણ આ જ પ્રકારની તકલીફ તેમના બેટ્સમેનોને ભારતીય પિચો પર સ્પીનર્સ સામે થાય છે. યુવા ખેલાડીઓને તાલીમ અને તક આપવા વિશે પોતાનો મત રજૂ કરતા કપિલ કહ્યું કે, તેમને ક્રિકેટ એકેડમી ખોલવામાં કોઈ રુચિ નથી. બાળકો પાસેથી પૈસા લઈ તેમને ક્રિકેટ શીખવવું તેમના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. જો કોઈ તેમને ફાયનાન્સ કરે તો તેઓ આ અંગે વિચારી શકે છે.
કપિલે કહ્યું કે, ‘પહેલા બોલર્સને માત્ર બોલિંગ માટે રાખવામાં આવતા હતા પણ આજે ક્રિકેટનો પ્રકાર બદલાઈ ગયો છે. આજે વન-ડેમાં 300થી વધુ રન બનાવવા છતા જીતની કોઈ ગેરેન્ટી હોતી નથી. ટી-20ની લોકપ્રિયતા વધી છે. બોલર્સ પાસેથી હવે સારી ફિલ્ડીંગ અને બેટિંગની પણ આશા રાખવામાં આવે છે.’
એક કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ કેપ્ટન કપિલે કહ્યું કે, ‘આજે ક્રિકેટમાં બોલર્સની ભૂમિકા ઘણી બદલાઈ ગઈ છે. આજના બોલર્સ સારી બોલિંગની સાથે-સાથે શાનદાર ફિલ્ડર્સ પણ હોવા જરૂરી છે. ક્રિકેટમાં આવેલા ફેરફારોને કારણે બોલર્સનું કામ મુશ્કેલ થઈ ગયું છે.’
નવી દિલ્હીઃ વિશ્વ ક્રિકેટના સર્વકાલિન મહાન ઓલરાઉન્ડર ખેલાડીઓમાં સામેલ કપિલ દેવનું કહેવું છે કે, હાર્દિક પંડ્યા શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. હાર્દિક સારા ઓલરાઉન્ડર છે અને તેની પાસેથી ઘણી અપેક્ષા છે. તેમણે ભુવનેશ્વર કુમારના પણ ખાણ કર્યા અને તેના પ્રદર્શનને પણ શાનદાર ગણાવ્યું. તેની સાથે જ તેમણે કહ્યું કે, દક્ષિણ આફ્રીકા પ્રવાસ પર ટીમ ઇન્ડિયા સારું પ્રદર્શન કરશે.