મુંબઈ: કોરોના વાયરસ સામેની લડાઈમાં સામાન્ય માણસથી લઈને ઉદ્યોગપતિ, બોલીવૂડ સેલેબ્સ અને સ્પોર્ટ્સ પર્સન મદદ કરી રહ્યા છે. ત્યારે ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ પણ આર્થિક મદદ કરી છે.


ભારતીય ઓપનર રોહિત શર્માએ કોરોનાવાઇરસ સામે લડવા માટે 80 લાખ રૂપિયા દાન કર્યા છે. રોહિત શર્માએ 45 લાખ રૂપિયા PM-CARES ફંડમાં અને 25 લાખ રૂપિયા મહારાષ્ટ્ર મુખ્યમંત્રી રિલીફ ફંડ અને 5-5 લાખ રૂપિયા ફિડિંગ ઇન્ડિયા અને વેલ્ફેર ઓફ સ્ટ્રીટ ડોગની સંસ્થાને આપ્યા છે.



રોહિત શર્માએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. રોહિત શર્માએ કહ્યું, આપણો દેશ ફરીથી પોતાના પગ પર ઉભો થાય. મેં મારુ કર્તવ્ય નિભાવતા PM-CARES ફંડમાં 45 લાખ, મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડમાં 25 લાખ અને 5-5 લાખ રૂપિયા ફિડિંગ ઇન્ડિયા અને વેલ્ફેર ઓફ સ્ટ્રીટ ડોગની સંસ્થાને દાન કર્યા છે.