Virat Kohli Test Captaincy: વિરાટ કોહલીએ શનિવારે ભારતીય ટીમના ટેસ્ટ કેપ્ટન પદથી રાજીનામુ આપી દીધુ હતુ. આવામાં વિરાટ હવે ભારતીય ટીમમાં એક બેટ્સમેન તરીકે રમતો દેખાશે. વિરાટની કેપ્ટનશીપ છોડતાની સાથે જ દિગ્ગજોએ પ્રતિક્રિયાઓ આપવાની શરૂઆત કરી દીધી છે. બીસીસીઆઇ બાદ ગાંગુલી અને હવે વનડે કેપ્ટન રોહિત શર્માએ વિરાટના રાજીનામા પર પ્રતિક્રિયા આપી છે. જાણો રોહિત શર્માએ શું કહ્યું.... 


હિટમેન રોહિત શર્મા પોતાના સાથી વિરાટ કોહલીની ટેસ્ટ કેપ્ટનશીપ છોડવાથી ખુબ ચોંકી ગયો છે. રોહિતે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું- હેરાન છુ. પરંતુ ભારતીય કેપ્ટન તરીકે સફળ ઇનિંગ માટે અભિનંદન, આગળ માટે ઘણીબધી શુભેચ્છા.






રોહિત શર્મા હાલમાં બેંગ્લુરુ સ્થિતિ નેશનલ ક્રિકેટ એકેડમી -એનસીએમાં રિહેબિલિટેશન પ્રક્રિયામાંથી પસાર થઇ રહ્યો છે. રોહિત શર્મા હૈમસ્ટ્રિંગની ઇજાના કારણે સાઉથ આફ્રિકા પ્રવાસે નથી ગયો, તેની ગેરહાજરીમાં કેએલ રાહુલને ભારતીય વન-ડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. 


આ પણ વાંચો.........


India Corona Cases Today: ભારતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, છેલ્લા 24 કલાકમાં 2,71,202 લોકો થયા સંક્રમિત, 314 લોકો મોતને ભેટ્યા


પબજીમાં દવાના વેપારીના દીકરાએ 17 લાખ રૂપિયા ગુમાવ્યા, પિતરાઇ ભાઇ સહિત ચાર લોકોની ધરપકડ


Rajasthan Weekend Lockdown: કોરોનાની ચેઇન તોડવા ગુજરાતને અડીને આવેલા આ મોટા રાજ્યમાં લગાવાયું 31 કલાકનું સંપૂર્ણ લોકડાઉન, જાણો શું ખુલ્લું રહેશે


દમણમાં હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડે 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું, પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યો


છેલ્લા ત્રણ વર્ષથી ડેટ કરનારુ ટીવીનુ આ સ્ટાર કપલ આગામી મહિને બંધાશે લગ્ન ગ્રંથીથી, જાણો કોણ છે.......


આ પાંચ ફિચર્સથી બદલાઇ જશે Whatsapp યૂઝર્સને એક્સપીરિયન્સ, જાણો વિગતે