ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સીરીઝમાં રોહિત શર્મા તોડી શકે છે વિરાટ કોહલીનો આ મોટો રેકોર્ડ, જાણો વિગતે
રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ માત્ર એક જ ટી20 મેચ હારી છે, જે શ્રીલંકા સામે 2018ની નિદહાસ ટ્રૉફીની મેચ હતી. હાલમાં બરાબરામાં રોહિત એક મેચ પાછળ છે અને રેકોર્ડ તોડવામાં 2 મેચો પાછળ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ અત્યાર સુધી 20 આંતરરાષ્ટ્રીય ટી20 મેચોમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ કરી છે, અને આ મેચોમાં ટીમ ઇન્ડિયાને 12 મેચોમાં જ જીત મળી હતી. જ્યારે રોહિત શર્માએ અત્યાર સુધી 12 આંતરરાષ્ટ્રીય ટી20 મેચોમાં ભારતની કેપ્ટનશીપ કરી છે અને આ દરમિયાન 11 મેચોમાં ટીમ ઇન્ડિયાને જીત અપાવી છે.
રોહિત શર્મા જો આ સીરીઝમાં એક મેચ જીતવામાં સફળ થશે તો વિરાટ કોહલીની બરાબરી કરી લેશે, અને જો બે ટી20 મેચો જીતશે તો દિગ્ગજ કેપ્ટન વિરાટ કોહલીના રેકોર્ડને તોડી દેશે.
નવી દિલ્હીઃ આવતીકાલથી શરૂ થઇ રહેલી ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સીરીઝની પ્રથમ ટી20માં વિરાટ કોહલીનો એક મોટો રેકોર્ડ તુટવાની અણી પર છે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં ક્યારેક ક્યારેક ટીમનું કમાન સંભાળનારા રોહિત માટે એક નવો રેકોર્ડ બની શકે છે. હાલમાં વિરાટ આરામ પર છે અને રોહિત શર્મા ટીમની કેપ્ટનશી કરી રહ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -