ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અગાઉ ભારતીય ક્રિકેટના દિગ્ગજ સચિન તેડુંલકરે ટીમ ઇન્ડિયાને એક જરૂરી સલાહ આપી છે. સચિન તેડુંલકરે ભારતીય બેટ્સમેનોને સલાહ આપી છે કે તે રવિવારે રમાનારી પાકિસ્તાન સામેની મેચમાં ઝડપી બોલર મોહમ્મદ આમિર વિરુદ્ધ સતર્કતા રાખવાના બદલે આક્રમક અંદાજમાં બેટિંગ કરે.
તેડુંલકરે કહ્યું કે, હું તેમના વિરુદ્ધ બોલ જતા કરીને નકારાત્મક માનસિકતા સાથે નહી રમું. હું ભારતીય ખેલાડીઓને પોતાના શોટ રમવા અને સકારાત્મક બનવી રહેવા માટે પ્રોત્સાહિત કરીશ. સચિનનું માનવું છે કે અત્યાર સુધી એક મેચ જીતનાર પાકિસ્તાન વિરાટ કોહલી અને રોહિત શર્માને નિશાન બનાવી શકે છે.