નવી દિલ્હીઃ હાલમાં વર્લ્ડકપ 2019 ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ચાલી રહ્યો છે, ત્યારે ભારતીય ટીમના ખેલાડીઓ રમતની સાથે સાથે મજાકના મૂડમાં પણ છે. રોહિત શર્માએ ગૌરવના એક પ્રશ્નનો રોચક જવાબ આપ્યો.


જ્યારે ગૌરવે રોહિત શર્માને પુછ્યુ કે, ધવનની એક આદત વિશે બતાવો ત્યારે રોહિત શર્માએ જવાબ આપતા કહ્યું કે, શિખર ધવનને દરેક મેચ પહેલા નિયમિત અને અચૂક રીતે ટૉઇલેટ જવાની આદત છે.



રોહિતે કહ્યું કે, જ્યારે હું પાંચ મિનિટમાં તૈયાર થઇ જાવ છું, અને તેને ટૉઇલેટ જવા માટે પાંચ મિનીટ જોઇએ છે. વધુમાં કહ્યું કે, ધવનને પોતાના મોજાને ભૂલી જવાની પણ આદત છે અને તેના વિશે તે સાથે ક્રિકેટરને વારંવાર પુછે પણ છે.