નવી દિલ્હીઃ પૂર્વ ક્રિકેટર સુનીલ ગવાસ્કરે કહ્યું કે, જીત-હાર પિચ પર નિર્ભર કરશે. જો પિચ પર હરિયાળી નહી હોય અને ડે મેચમાં ટીમ ઇન્ડિયા પ્રથમ ફિલ્ડિંગ કરશે તો તેમની જીત નક્કી છે. ગવાસ્કરે કહ્યું કે, વિરાટ કોહલી વર્લ્ડકપ લાવશે. 25 જૂન 1983ના રોજ ટીમ ઇન્ડિયાએ લોર્ડ્સમાં ઇતિહાસ રચ્યો હતો. હવે 14 જૂલાઇ 2019ના રોજ આ ઇતિહાસની તક છે.નોંધનીય છે કે લંડનમાં હવામાન બદલાઇ રહ્યું છે. હવે અહીં તડકો નીકળી રહ્યો છે. જો આ પ્રકારનું હવામાન રહ્યું તો ટીમ ઇન્ડિયા સારુ પ્રદર્શન કરશે.

ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડી ફિટ છે. લોકેશ રાહુલ જબરદસ્ત ફોર્મમાં છે અને ધોની પણ લયમાં આવી ચૂક્યો છે. ટીમ ઇન્ડિયાની મુશ્કેલી ઓપનિંગ જોડીને લઇને છે. બંન્ને ઇગ્લેન્ડના વાતાવરણમાં સેટ થઇ શક્યા નથી. પ્રેક્ટિસ મેચમાં રોહિત શર્મા અને શિખર ધવન સારુ પ્રદર્શન કરી શક્યા નથી.