શ્રીલંકાને વધુ એક ઝટકો, કેપ્ટન ઉપુલ થરંગા પર આગમી બે મેચ માટે પ્રતિબંધ
તો બીજી બાજુ ખભાની ઈજાના કારણે ઓપનર બેટ્સમેન દાનુષ્કા ગુણાથિલકા પણ આવતી બે મેચો માટે બહાર થઈ ગયો છે. એવામાં તેમની જગ્યાએ થિરિમા ઈનિંગની શરૂઆત કરશે, જ્યારે ચોથા નંબર પર થરંગાની જગ્યાએ ચંડીમલ લઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: ભારત વિરુદ્ધ સતત બીજી વનડેમાં હારબાદ શ્રીલંકાને વધુ એક ફટકો લાગ્યો છે. બીજી વનડેમાં ધીમી ઓવર રેટના કારણે કેપ્ટન ઉપુલ થરંગા પર બે મેચનો પ્રતિબંધ લગાવી દીધો છે. થરંગા પર પ્રતિબંધ બાદ શ્રીલંકન ટીમે દિનેશ ચંડીમલ અને લાહિરૂ થિરિમાને પાછા બોલાવ્યા છે. જો કો, થરંગાની ગેરહાજરીમાં ટેસ્ટ ટીમના કેપ્ટન દિનેશ ચંડીમલને વનડેના કેપ્ટનશીપ સોંપવામાં આવી શકે છે.
અગાઉ પણ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં સ્લો ઓવર કરાવવાના કારણે ઉપુલ થરંગા પર બે મેચો પર પ્રતિબંધ લગાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -