નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી હવે ટુંકસમયમાં પોતાની નવી ઇનિંગ શરૂ કરવા જઇ રહ્યાં છે. ગાંગુલી ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ (બીસીસીઆઇ)ના નવા અધ્યક્ષ બનશે, આગામી 23મી ઓક્ટોબરે તે આ કાર્યભાર પણ સંભાળી લેશે. આ પદ સંભાળતા જ ગાંગુલીને અન્ય પદો અને કામોમાંથી દુર થવુ પડશે.


ગાંગુલીએ બીસીસીઆઇના અધ્યક્ષ નક્કી થયા બાદ પહેલીવાર કહ્યું કે, હું આ પદનુ સન્માન કરુ છુ અને હુ અન્ય કામોમાંથી દુર થઇશ. ગાંગુલીએ કહ્યું કે તેને દિલ્હી કેપિટલ્સના મેન્ટર પદેથી રાજીનામુ આપી દીધુ છે, તેને કહ્યું કે, હું કૉમેન્ટ્રી, આર્ટિકલ લખવાનુ અને આઇપીએલ સહિતના બધા કામો બંધ કરી દઇશ, પણ 'દાદાગીરી' ચાલુ રાખીશ.



ઉલ્લેખનીય છે કે, 'દાદાગીરી' બંગાળનો એક રિયાલિટી શૉ છે (બંગાળી ટીવી શૉ), અને સૌરવ ગાંગુલી આ શૉમાં કામ કરી રહ્યો છે, ગાંગુલીએ કહ્યું કે, હુ 'દાદાગીરી' માટે શૂટિંગ કરવાનુ ચાલુ રાખીશ.