ભારત સામેની મેચ પહેલા શ્રીલંકાની ટીમને મોટો ઝટકો, કેપ્ટન ચંડીમલ પર બે મેચનો પ્રતિબંધ

તો બીજી બાજુ ચંડીમલ સિવાય ગત મેચમાં બાંગ્લાદેશી કેપ્ટન મહમુદુલ્લાહને નક્કી કરેલા સમયમાં એક ઓવર ઓછી નાખવા પર દોષી ઠેરવ્યો હતો. જેના કારણે મેચ ફી માંથી 20 ટકા ફી કાપી લેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે શનિવારે બાંગ્લાદેશે વિશાળ સ્કોર 215 રનનો લક્ષ્ય હાંસલ કરી યજમાન ટીમ શ્રીલંકાને પરાજય આપ્યો હતો.
દિનેશ ચંડિમલ હવે ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ટ્રાઈ સીરીઝીની આગામી બે મેચમાં શ્રીલંકાની ટીમમાં નહીં રમે. શ્રીલંકાની હજુ ભારત અને બાંગ્લાદેશ સામે એક-એક મેચ રમવાની બાકી છે. જે 12 અને 16 માર્ચે છે. જો શ્રીલંકાની ટીમ ફાઈનલમાં પહોંચશે તો જ ચંડીમલ નિદાહાસ ટ્રોફીમાં નજર આવશે.
કોલંબો: બાંગ્લાદેશ સામે મળેલી આકરી હાર બાદ શ્રીલંકાની ટીમને વધુ એક ફટકો પડ્યો છે. શ્રીલંકા ટીમના શોર્ટર ફોર્મેટના કેપ્ટન દિનેશ ચંડીમલને આગામી બે ટી-20 મેચ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આઈસીસીએ આ નિર્ણય ગત શનિવારે બાંગ્લાદેશ વિરુદ્ધ રમાયેલી મેચમાં સ્લો ઓવર રેટના કારણે લીધો છે.
શ્રીલંકાની ટીમ બોલિંગ વખતે સમય કરતા ચાર ઓવર પાછળ ચાલી રહી હતી. જેના કારણે આઈસીસીના નિયમ હેઠળ કેપ્ટનને દોષી માનતા કાર્યવાહી કરી હતી. દિનેશ ચંડીમલને ગંભીર ઓવર રેટ અપરાધનો દોષી ગણાવ્યો હતો અને મેચની ફી માંથી 20 ટકા દંડ પણ ફટકાર્યો છે.