સુંદર પિચાઈએ કહ્યું, આઈસીસી વર્લ્ડકપ 2019ની ફાઈનલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે અને તેઓ ઈચ્છે છે કે વિરાટ કોહલીની આગેવાની વાળી ટીમ સારૂ પ્રદર્શન કરી વિજેતા બને. આ વાત સુંદર પિચાઈએ યૂએસઆઈબીસીની 'ઈન્ડિયા આઈડિયાઝ સમિટ'માં કરી હતી.
પિચાઈએ કહ્યું, આ વિશ્વકપ ફાઈનલ ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાઈ જોઈએ. પંરતુ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ટીમો પણ ખૂબ સારી છે. તેઓ યૂએસઆઈબીસીની અધ્યક્ષ નિશા દેસાઈ બિસ્વાલના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા જેણે પુછ્યું હતું કે તમને શું લાગે છે ફાઈનલ મેચ કોની વચ્ચે થશે?