PHOTO: ભુવનેશ્વર કુમારે કરી સગાઈ, જાણો ક્યારે થશે લગ્ન
ભુવનેશ્વર કુમારના પિતા કિરણપાલ સિંહે જણાવ્યુ કે ભુવી અને નૂપુરની સગાઈ થઈ ચુકી છે. આ બન્નેના લગ્ન આ વર્ષે ડિસેમ્બરમાં કરવાની ઈચ્છા છે અને ભુવી ક્રિકેટના કાર્યક્રમ વચ્ચે જે પણ સમય કાઢશે તે દરમિયાન અમે લગ્નની તારીખ નક્કી કરીશું.
2010માં 12મું ધોરણ પાસ કર્યા બાદ નૂપુરે નોઇડાથી બીટેકનો અભ્યાસ કર્યો છે. તે નોઇડામાં જ જોબ કરી રહી છે. ચાર ભાઇ બહેનમાં નૂપુર સૌથી નાની છે, તેની બે મોટી બહેનો તેમજ ભાઈના લગ્ન થઈ ચૂક્યા છે.
નૂપુર મેરઠના ગંગાનગરની છે અને ભુવીની પાડોશી છે. ભુવનેશ્વર કુમારના પિતા કિરણપાલ સિંહ અને નૂપુરના પિતા યશપાલ સિંહ નાગર પોલીસ સેવામાંથી નિવૃત્ત થયા છે. નૂપુર નાગરે એન્જિનિયરિંગ કર્યું છે અને સ્કૂલનો અભ્યાસ દેહરાદુનમાં કર્યો છે. અહીં તે છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કરી પછી મેરઠ જતી રહી હતી.
નવી દિલ્હીઃ રિપોર્ટ્સ અનુસાર ટીમ ઇન્ડિયાના સ્ટાર બોલર ભુવનેશ્વર કુમારે સગાઈ કરી લીધી છે. તેણે મેરઠની નુપુર નાગર સાથે સગાઈ કરી છે. તેમણે હાલમાં જ નુપુર સાથે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી હતી અને બેટર હાફ ગણાવી હતી. સૂત્રો અનુસાર, ભુવી અને નુપુરના લગ્ન ચાલુ વર્ષે ડિસેમ્બરમાં થઈ શકે છે.