એનસીએ અને ક્ષેત્રીય ક્રિકેટ એકેડમીઓમાં કોચિંગ સ્ટાફની નિયુક્તિ કરશે. આ સાથે જ ઈજાગ્રસ્ત ક્રિકેટરો માટે એનસીએના રિહેબ પ્રોગ્રામની જવાબદારી પણ સંભાળશે. તે ભારત એ અને અંડર-19 ટીમોની સાથે યાત્રા કરી શકશે નહીં જે અગાઉ તે કરતો હતો. પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર પારસ મ્હામ્બ્રે અને અભય શર્મા જૂનિયર ટીમના સહયોગી સ્ટાફનો ભાગ રહેશે. રાહુલ દ્રવિડ 1 જુલાઈથી પોતાની જવાબદારી સંભાળશે.
બીસીસીઆઈના એક અધિકારીએ શનિવારે થયેલી બેઠક બાદ જણાવ્યું હતું કે, તે ભારત એ અને અંડર-19 ટીમોની સાથે યાત્રા કરશે પણ તે પૂરેપૂરા સમય માટે નહીં. આ બહુ મોટી જવાબદારી છે અને જૂનિયર ટીમના બદલે તેને એનસીએમાં વધારે સમય પસાર કરવો પડશે. મ્હામ્બ્રે અને શર્મા ભારત એ અને અંડર 19 ટીમોની સાથે રહેશે. જોકે, અમે કોચિંગ સ્ટાફને મજબૂત કરવાના પ્રયાસો કરતાં રહીશું.