એક સમયે ગોવામાં ટેબલ સાફ કરતો હતો, આજે વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં રમે છે આ ખેલાડી

કુલવંત માટે અહીંયા સુધીનું સફર સરળ નથી રહ્યું. આઈપીએલમાં આવતા પહેલા કુલવંત ગોવાની એક રેસ્ટોરાંમાં નોકરી કરતો હતો. રાજસ્થાનનો રહેવાસી કુલવંતને ક્રિકેટ શરૂઆતથી જ પસંદ હતી. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે તે આમ ન કરી શક્યો. વેઈટરની નોકરીથી કંટાળીને કુલવંતે ફરીથી ક્રિકેટ રમવાનું શરૂ નક્કી કર્યું.
આ વર્ષે પણ ટીમમાં કેટલાક એવા ખેલાડીઓ છે જે પોતાના પ્રદર્શનના જોરે ભારતીય ટીમમાં સ્થાન બનાવવાની ઈચ્છા રાખે છે. તેમાંથી એક નામ છે આરેસીબીના ફાસ્ટ બોલર કુલવંત ખેજરોલિયાનું. કુલવંત ખેજરોલિયાને આ વર્ષે વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં રમવાની તક મળી છે. પાછલા વર્ષે કુલવંતને મુંબઈની ટીમે ખરીદ્યો હતો. પરંતુ તે એકપણ મેચ નહોતો રમી શક્યો. આ સિઝનની પહેલી મેચમાં તેને આરસીબી તરફથી રમવાની તક મળી. જોકે પહેલી મેચમાં તે વિકેટ લેવામાં સફળ ન થયો, પરંતુ તેની બોલિંગે બધાને પ્રભાવિત કર્યા.
વર્ષ 2016માં વેટરની નોકરી છોડીને કુલવંત દિલ્હી આવી ગયો. જોકે તેણે પોતાના પરિવારને આ વાતની જાણકારી નહોતી આપી. તેણે ઘરે જણાવ્યું કે તે અમદાવાદમાં નોકરી કરવા જઈ રહ્યો છે, પરંતુ તે દિલ્હી જઈને પોતાના એક મિત્ર પાસે રહેવા લાગ્યો. આઠ મહિનામાં દિલ્હી રહેતા તેણે ઘણી નાની-મો઼ટી ક્રિકેટ મેચ રમી. આ ઉપરાંત શનિવાર અને રવિવારે તે અમ્પાયરિંગ કરતો હતો, જેનાથી થોડાક પૈસા મળી જતા.
નવી દિલ્હીઃ આઈપીએલ દર વર્ષે અનેક નવા ક્રિકેટરોને ઓળખ આપવાનું કામ કરે છે. આઈપીએલમાં દમદાર પ્રદર્શન કરનાર ખેલાડી આજે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ખૂબ નામ કમાઈ રહ્યા છે. ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો અજિંક્ય રહાણે, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, મનીષ પાંડે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જયદેવ ઉનડકટ, ચુજવેન્દ્ર ચહલ અને શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓએ આ ટૂર્નામેન્ટ દ્વારા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે.