U-19: માતા નહોતી ઈચ્છતી કે ક્રિકેટર બને મનજોત, વર્લ્ડ કપમાં બન્યો જીતનો હિરો

આઈપીએલ ઓક્શમાં મનજોત કાલરા પોતાની બેસ પ્રાઈસ 20 લાખમાં દિલ્લી ડેયરડેવિલ્સે ખરીદ્યો છે. જણાવી દઈએ કે મનજોતના અંડર-19ની ટીમ ઈન્ડિયામાં શામેલ થવા પર વિવાદ થયો હતો. આરોપ હતો કે મનજોતની ઉંમર 19 થી વધારે તેની વર્લ્ટકપમાં નહીં રમે. પરંતુ તમામ આરોપો ખોટા સાબિત થતા અંતે ટીમ ઈન્ડિયામાં તે શામેલ થયો.
મનજોતે અંડર-19 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પાકિસ્તાન વિરુદ્ધ 47 રન બનાવી ટીમ ઈન્ડિયાને જીત અપાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. આટલુંજ નહીં અંડર-19 વર્લ્ડકપમાં મનજોતે 350થી વધુ રન બનાવ્યા છે.
તેના મોટા ભાઈને ક્રિકેટમાં રસ હતો. મનજોત પોતાના મોટા ભાઈ સાથે મેચ રમતો હતો. આમ રમતા રમતા તે ટીમ ઈન્ડિયામાં પહોંચી ગયો.
નવી દિલ્લી: અંડર-19 વિશ્વકપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાના ઓપનર બેટ્સમેન મનજોત કાલરાએ શાનદાર સદી ફટકારી ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમણે 101 બોલમાં પોતાની શદી પૂર્ણ કરી હતી.
મનજોત દિલ્લીના આઝાદપૂરમાં રહે છે. તેના પિતા પ્રવીણકુમાર વેપારી છે. તેઓ ઈચ્છતા હતા કે મનજોત અભ્યાસ કરે અને તેના આધાર પર આગળ વધે. પણ મનજોત રમતા રમતા ખેલાડી બની ગયો.