નવી દિલ્હીઃ ભારતમાં હાલ કોરોનાનો (IPL 2021) કેર સતત વધી રહ્યો છે. દિવસે દિવસે સંક્રમિતોની સંખ્યા વધી રહી છે, એટલુ જ નહીં મૃત્યુઆંક પણ સતત ઉછળી રહ્યો છે. આ બધાની વચ્ચે દેશમાં આઇપીએલ (IPL) ચાલી છે. હવે રિપોર્ટ છે કે કોરોનાના (Covid-19) ભયના કારણે આઇપીએલમાં અસર દેખાઇ રહી છે. ખેલાડીઓની સાથે સાથે હવે એમ્પાયરો (Umpires left) પણ આઇપીએલ છોડવા લાગ્યા છે. રિપોર્ટ છે કે, ભારતીયીય એમ્પાયર નિતિન મેનન (Nitin Menon) અને ઓસ્ટ્રેલિયાના એમ્પાયર પૉલ રીફેલ (Paul Reiffel) આઇપીએલમાંથી હટી ગયા છે. જાણવા મળ્યું છે કે ઇન્દોરમાં રહેનારા નિતિન મેનનની (Umpires Nitin Menon) પત્ની અને માતા કૉવિડ-19 પૉઝિટીવ છે, અને આ કારણે તેમને આઇપીએલના બાયૉ બબલમાં એન્વાયરમેન્ટમાંથી બહાર નીકળવાનો ફેંસલો કર્યો છે. 


મેનન (Umpires Nitin Menon) આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની (ICC Umpires) એમ્પાયરોની એલિટ પેનલમાં સામેલ એકમાત્ર ભારતીય છે. તેમની ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં જ ખતમ થયેલી સીરીઝ દરમિયાન સારી એમ્પાયરિંગની લોકોએ ખુબ પ્રસંશા કરી હતી.  


ભારતીય ક્રિકેટ બોર્ડના (BCCI) એક અધિકારીએ કહ્યું- હા, નિતિન મેનન આઇપીએલમાંથી બહાર થઇ ગયા છે, કેમકે તેમના પરિવારના સભ્યો કૉવિડ-19થી સંક્રમિત છે. તે હાલ મેચોનુ સંચાલન કરવાની સ્થિતિમાં નથી.


પૉલ રીફેલ ઓસ્ટ્રેલિયાની યાત્રા પ્રતિબંધના કારણે હટ્યા.....
રીફેલે ભારતમાં કૉવિડ-19ના વધતા કેસોને ધ્યાનમાં રાખતા ઓસ્ટ્રેલિયાના યાત્રા પ્રતિબંધ લગાવવાના કારણે આઇપીએલ છોડવાનો ફેંસલો કર્યો છે. 


અશ્વિન પણ પરિવારના સંભ્યો સંક્રમિત થવાના કારણે ટૂર્નામેન્ટમાંથી હટી ગયો હતો......
મેનને ટૂર્નામેન્ટમાંથી હટનારો બીજો ભારતીય છે. આ પહેલા ઓફ સ્પીનર રવિચંદ્રન અશ્વિને પરિવારના સભ્યો કોરોના સંક્રમિત થયા હોવાથી તે આઇપીએલ છોડી ગયો હતો. વળી, ઓસ્ટ્રેલિયાના એન્ડ્ર્યૂ ટાય, કેન રિચર્ડસન, અને એડમ ઝામ્પા ભારતમાં વધતા કોરોના સંકટના કારણે આઇપીએલને અધવચ્ચેથી છોડીને સ્વદેશ પરત ફરી ચૂક્યા છે. બીસીસીઆઇ મેનન અને રીફેલની જગ્યાએ પોતાના એમ્પાયર પુલમાંથી નવા એમ્પાયરોની નિયુક્ત કરી શકે છે. 


બીસીસીઆઇએ કડક કર્યા બાયૉ બબલના નિયમો.....
દેશમાં વધતા કોરોના કેસોને ધ્યાનમાં રાખતા બીસીસીઆઇએ ખેલાડીઓની સુરક્ષા માટે બાયૉ બબલના નિયમો વધુ કડક કરી દીધા છે. હવે ખેલાડીઓનો દર બે દિવસે કોરોના ટેસ્ટ થશે. આની સાથે જ ખેલાડીઓને હૉટલની બહારથી ખાવાનુ મંગાવવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે.