અંતરરાષ્ટ્રીય ફૂટબૉલર પૂનમ ચૌહાણનું વારણસીમાં ડેંગૂથી મોત
abpasmita.in | 19 Oct 2016 04:19 PM (IST)
વારાણસી: અંતરરાષ્ટ્રીય મહિલા ફૂટબૉલર પૂનમ ચૌહાણનું ગઈકાલે રાત્રે ડેંગૂથી મોત થયું હતું. 29 વર્ષીય પૂનમ સોમવારથી જ મકબૂલ આલમ રોડ સ્થિત એક હોસ્પિટલમાં દાખલ હતી. પૂનમના નિધનથી આખું શહેર શોકમાં વ્યાપી ગયું હતું. પૂનમે 2007 (મલેશિયા) અને 2010માં ભારતીય ફૂટબૉલર ટીમના પ્રતિનિધિત્વ કર્યું હતું. વર્ષ 2010થી સેગ ખેલોમાં ભારતે ફૂટબૉલમાં સુવર્ણ પદક મેળવ્યો હતો. પૂનમે આ જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. તેને 10થી વધુ વખત રાષ્ટ્રીય ફૂટબૉલ ચેમ્પિયનશિપમાં ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પૂનમે સિગરા સ્ટેડિયમમાં ફૂટબૉલની બેઝિક ટ્રેનિંગ લીધી હતી. બુધવારે સવારે 7.30 વાગે પૂનમની શબયાત્રા ચુપ્પેપુર-શિવપુર સ્થિત તેના નિવાસ સ્થાનેથી નિકળશે, જે પહેલા ઓલંપિયન વિવેક સિંહ મિની સ્ટેડિયમ શિવપુર જશે. ત્યાંથી મણિકર્ણિકા ઘાટ જશે, જ્યાં તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.