વીરેન્દ્ર સેહવાગે BCCI કોચ પદ માટે મોકલી બે લાઈનની અરજી, જાણો શું લખ્યું છે....
સેહવાગે વનડેમાં એક ડબલ સેન્ચુરી પણ ફટકારી છે. ઉપરાંત ટેસ્ટમાં તેણે બે વખત ટ્રિપલ સેન્ચુરી ફટકારી છે અને ચાર વખત ડબલ સેન્ચુરી.
સેહવાગે 104 ટેસ્ટ રમ્યા છે અને અંદાજે 50ની સરેરાશથી 8586 રન બનાવ્યા છે. આદરમિયાન તેણે 23 સેન્ચુરી અને 32 હાફ સેન્ચુરી ફટકારી છે.
સેહવાગે પોતાની કારકિર્દીમાં 251 વનડે મેચ રમ્યા છે, જેમાં 35થી વધારેની સરેરાશ સાથે 8273 રન બનાવ્યા છે. સહેવાગે આ દરમિયાન 10 સેન્ચુરી અને 38 હાફ સેન્ચુરી ફટકારી છે.
બીસીસીઆઈએ ટીમના મુખ્ય કોચના પદ માટે કુંબલેનો કાર્યકાળ વધાર્યો નથી જેના કારણે કોચની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
તમને જણાવીએ કે ચેમ્પિયન્સ ટ્રોફી પછી ટીમ ઇન્ડિયાના હેડ કોચ અનિલ કુંબલેની ટર્મ ખતમ થઇ રહી છે.
બીસીસીઆઈના એક સૂત્રએ અન્ડિયન એક્સપ્રેસને જાણકારી આપતા કહ્યું કે, સેહવાગ તો સેહવાગે જ છે. તેમણે બીસીસીઆઈને જે અરજી મોકલી છે તેની સાથે સીવી ન હતો માટે બીસીસીઆઈએ સેહવાગ પાસે વિસ્તૃત બાયોડેટા મંગાવ્યો છે. આખરે સેહવાગ પ્રથમ વખત કોચ પદ માટે ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે.
જે ત્રણ લોકો ઇન્ટરવ્યૂ લેવાના છે તેમને પણ સેહવાગ સારી રીતે ઓળખે છે અને તેમની સાથે ક્રિકેટ રમી ચુક્યો છે. આ ત્રણમાં સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણ સામેલ છે.
કોચ માટેની અરજીમાં તેને BCCIને માત્ર બે લાઇનમાં પોતાનો CV મોકલાવ્યો હતો. કોચ પદ માટે સેહવાગે પોતાના બાયોડેટામાં લખ્યું, 'હું IPL ટીમ કિંગ્સ ઇલેવન પંજાબનો મેન્ટર છું અને વર્તમાન ટીમ ઇન્ડિયાના દરેક ખેલાડી સાથે રમ્યો છું.'
મુંબઈઃ ચેમ્પિયન્સ ટ્રોફી પછી ટીમ ઇન્ડિયાના હેડ કોચ અનિલ કુંબલેની ટર્મ ખતમ થઇ રહી છે જેને કારણે BCCIએ હેડ કોચની પોસ્ટ માટે અરજી મંગાવી છે. ભારતીય ટીમના કોચ બનવા માટે વિરેન્દ્ર સેહવાગે પણ એપ્લાય કર્યુ છે. જોકે વિરેન્દ્ર સેહવાગે જે રીતે અરજી કરી છે તે જોઈને સૌકોઈને આશ્ચર્ય થયું છે.