શિખર ધવનનું દર્દ અનુભવી શકું છું, પંતને શુભકામનાઓઃ સચિન તેડુંલકર
abpasmita.in | 20 Jun 2019 10:31 PM (IST)
આ સાથે સચિને આશા વ્યક્ત કરી હતી કે ધવનના સ્થાને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવેલા રિષભ પંત સારી બેટિંગ કરશે
નવી દિલ્હીઃ દુનિયાના મહાન બેટ્સમેન સચિન તેડુંલકરે ગુરુવારે કહ્યું કે, ઇજાના કારણે વર્લ્ડકપમાંથી બહાર થનારા ઓપનર શિખર ધવનના દુખને હું અનુભવી શકું છું. આ સાથે સચિને આશા વ્યક્ત કરી હતી કે ધવનના સ્થાને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવેલા રિષભ પંત સારી બેટિંગ કરશે. ધવન હાથના અંગૂઠામાં ફ્રેક્ચર થવાના કારણે વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયો છે. તેના સ્થાને યુવા વિકેટકીપર રિષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ધવનને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઇજા પહોંચી હતી. સચિને ટ્વિટ કરી લખ્યું કે, તારુ દર્દ સમજી શકું છું ધવન. તું સારી રમી રહ્યો હતો અને આટલા મહત્વપૂર્ણ ટુનામેન્ટમાં અધવચ્ચેથી ઇજાગ્રસ્ત થવું ખૂબ દુખ આપનારું છે. તે સિવાય સચિને લખ્યું કે, રિષભ તુમ સારી રમી રહ્યો છે અને પોતાની પ્રતિભાને બતાવવાની આ સારી તક છે. નોંધનીય છે કે ટીમ ઇન્ડિયાની આગામી મેચ શનિવારે અફઘાનિસ્તાન સામે છે.