✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટીમ ઈન્ડિયાના પસંદગીકર્તાએ કર્યો ખુલાસો, વર્લ્ડકપની ટીમમાં આ 3 ખેલાડી પણ થઈ શકે છે સામેલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Feb 2019 08:48 PM (IST)
1

પ્રસાદે કહ્યું કે, ઓલરાઉન્ડર વિજય શંકરે ન્યૂઝિલેન્ડ સામે રમાયેલી ટી20 શ્રેણીમાં વિરાટ કોહલીની ગેરહાજરીમાં ત્રણ નંબર પર શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ટીમમાં તેની ઉપયોગીતા સાબિત કરી છે. હવે અમારે જોવું પડશે કે તે ટીમમાં કઈ રીતે ફિટ બેસે છે. રહાણેને લઈ તેમણે કહ્યું કે, ઘરેલુ ક્રિકેટમાં તેણે શાનદાર દેખાવ કર્યો છે. તે પણ વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવનારી ટીમમાં સામેલ થઈ શકે છે.

2

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં ચાલુ વર્ષે 30 મેથી શરૂ થઈ રહેલા વર્લ્ડકપ 2019ને લઈ ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રિષભ પંત, વિજય શંકર અને અજિંક્ય રહાણે વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવનારી ભારતીય ટીમનો હિસ્સો હોઈ શકે છે.

3

પ્રસાદે કહ્યું કે, નિશ્ચિત રીતે પંત રેસમાં છે. તેણે છેલ્લા એક વર્ષમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાં સારો દેખાવ કર્યો છે. અમને લાગ્યું કે તેને પરિપક્વ થવાની જરૂર છે. તેથી અમે ઈન્ડિયા-એની દરેક શક્ય સીરિઝમાં તેને સામેલ કર્યો. 2018માં તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર 3 વન ડે જ રમી છે પરંતુ ટેસ્ટ ક્રિકેટ અને ઈન્ડિયા એ તરફથી કરેલા પ્રદર્શનની પસંદગીકર્તાએ પણ પ્રશંસા કરી હતી. પંતને ભારતીય ટીમમાં બેટ્સમેન તરીકે સામેલ કરવામાં આવી શકે છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ટીમ ઈન્ડિયાના પસંદગીકર્તાએ કર્યો ખુલાસો, વર્લ્ડકપની ટીમમાં આ 3 ખેલાડી પણ થઈ શકે છે સામેલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.