પૂર્વ ઝિમ્બાબ્વીયન ક્રિકેટર ગ્રાન્ટ ફ્લાવરે પાકિસ્તાની ક્રિકેટને લઇને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, ત્યાં આઝાદીની કમી છે, કૉચ ના બનાય. એક સ્પોર્ટ્સ મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં ફ્લાવરે કહ્યું કે પાકિસ્તાનમાં ક્રિકેટમાં રાજનીતિ વધુ પડતી છે.
પૂર્વ બેટિંગ કૉચે કહ્યું કે, ત્યાં પૂર્વ ક્રિકેટરો ગદ્દાર છે, અહીં પત્રકારો અને પીસીબી પણ રાજનીતિમાં સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, 2014થી ગ્રાન્ટ ફ્લાવર પાકિસ્તાની ટીમના બેટિંગ કૉચ રહ્યાં હતા, જોકે, બાદમાં તેમનો કૉન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં આવ્યો ન હતો. 2017ની ચેમ્પિયન ટ્રૉફીમાં પાકિસ્તાને ભારતને માત આપી ત્યારે પણ ગ્રાન્ટ ફ્લાવર પાકિસ્તાની ટીમના સદસ્ય હતા.