સુરત જેલમાં 100 કેદી ઉતર્યા ભૂખ હડતાળ પર, કારણ જાણીને તમે ચોંકી જશો
શિવરાત્રી ના દિવસો મા કેદીઓને ભજન કીર્તન કરવું છે અને જેલ ના અધિકારી ઓ એ પરવાનગી નહીં આપતા અન્ન નો ત્યાગ છેલ્લા 2 દિવસ થી કરવામાં આવ્યો છે. જોકે સમગ્ર મામલે જેલના સત્તાધીશોએ કંઈપણ કહેવાનો ઇન્કાર કર્યો છે ત્યારે જેલવાસ ભોગવી રહેલા કેદીઓના પરિવારજનોએ આ બાબતે માહિતી આપી હતી.
જેલ ના સત્તાધીશો એ પરવાનગી ન આપતા હાર્દિક પટેલ ના સમર્થક અને કોંગ્રેસ ધારાસભ્યના ઉમેદવાર જે હત્યા ના પ્રયાસ મા જેલવાસ ભોગવી રહ્યા છે તેઓ 100થીવધુ કેદીઓ સાથે ભૂખ હડતાળ પર ઉતાર્યા છે. જીગ્નેશ મેવાસા તેમજ કાચા કામ ના કેદીને ટિફિન ઘરેથી પોહચડવા મા આવે છે ત્યારે 2 દિવસ થી ટિફિન પરત આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
લાજપોર જેલના જેલર ચૌધરીના જણાવ્યા અનુસાર કેદીઓએ શિવરાત્રી નિમિત્તે સામુહિક ભજનની મંજુરી માંગી હતી. પરંતુ, જેલમાં સામુહિક ધાર્મિક કાર્યક્રમ પર પ્રતિબંધ હોવાથી મંજુરી આપવામાં આવી નથી. જેલમાં દરેક ધર્મના લોકો પોતાના બેરેકમાં ભજન સહિતના ર્ધાર્મિક કાર્યક્રમો કરી શકે છે.
સુરત: સુરત શહેરની લાજપોર જેલમા કેદીઓ ભૂખ હડળતાલ પર ઉતાર્યા છે. ભૂખ હડતાળ પર ઉતરેલા કેદીઓએ જેલર પાસે મહાશિવરાત્રી પર્વમાં ભજન કિર્તન કરવાની માંગણી કરી હતી. જેલના સત્તાધીશો દ્વારા પરવાનગી આપવામાં ન આવતા જેલના કેદીઓ ઉપવાસ પર બેઠા છે. જેલના લગભગ તમામ કેદીઓએ એકત્ર થઇને શિવરાત્રીના દિવસે ભજન-કિતર્ન કરવાનુ નક્કી કર્યુ હતું.