સુરતઃ ધો-9માં ભણતી વિદ્યાર્થિનીએ કેમ બાથરૂમાં દુપટ્ટાથી ખાધો ગળાફાંસો? જાણો ભાઇએ શું આપ્યું કારણ?
પૂજાના અકાળે મોતથી આખો પરિવાર શોકમાં ડૂબી ગયો છે. આ પરિવારમાં માતા-પિતા બે દીકરા અને ત્રણ દીકરીઓ હતી. જેમાં પૂજા ચોથા નંબરની હતી. જે સ્કૂલમાંથી છૂટ્યા બાદ લગભગ 12-30 વાગ્યાની આસપાસ ઘરે પહોંચી હતી. આ પછી તેણે આ આપઘાત કરી લીધો હતો.
દીકરીને લટકતી લાશ જોઇને માતાની ચીચયારીઓ પાડી હતી. આ સાંભળી મોટી દીકરી દોડી ગઇ હતી જેણે પણ નાની બહેનને ફાંસો ખાઘેલી હાલતમાં જોઇ રાડા રાડ કરી મુકી હતી. આ પછી બૂમાબૂમ થતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા. પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે આવી ગઇ હતી. જોકે, પૂજાએ શા માટે આપઘાત કર્યો તેનું સાચું કારણ જાણવા મળ્યું નથી. પોસમોર્ટમ પછી પૂજાના મોત અંગે જાણકારી મળી શકે છે. પોલીસ અન્ય દીશામાં પણ તપાસ કરી રહી છે.
સુરતઃ શહેરના ભાટેના વિસ્તારમાં રહેતી અને ધોરણ નવમાં ભણતી વિદ્યાર્થિનીએ પોતાના ઘરના બાથરૂમમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. દીકરીને આપઘાત કરેલી હાલતમાં જોતાં માતા બેભાન થઈને ત્યાં જ ઢળી પડી હતી. આપઘાત કરનાર પૂજા પાંડેસરાની છત્રપતિ શિવાજી સ્કૂલમાં ધોરણ નવમાં ભણતી હતી. પૂજાનો પરિવાર મૂળ મહારાષ્ટ્રનો છે. તેઓ નંદુરબારના શાહદાના વતની છે.
પૂજા બપોરે શાળાએથી ઘરે આવ્યા પછી તે ફ્રેશ થવા માટે બાથરૂમમાં ગઈ હતી. આ સમયે તેની માતા અને બહેન જમવાનું બનાવી રહ્યા હતા. જમવાનો સમય થવા છતા પૂજા ન દેખાતા તેમણે ઘરમાં જોયું હતું, પરંતુ પૂજા ન દેખાતા બાથરૂમનો દરવાડો ખોલ્યો હતો. જ્યાં શાળાના ડ્રેસના દુપટ્ટા વડે ગળે ફાસો ખાધેલી હાલતમાં લટકતી પૂજાની લાશ મળી આવી હતી.
મૃતક પૂજાનાના ભાઈ સુનિલે પોલીસને જણાવ્યું હતું કે, પૂજા છેલ્લા આઠ મહિનાથી માનસિક બીમારીનો ભોગ બની હતી. તેની દવામાં પણ કરવામાં આવી હતી. પૂજા એકલતામાં પણ અજીબો ગરીબ હરકતો કરતી હતી, જે બાબતે ઘરના સભ્યો ઠપકો પણ આપતા હોવાનું તેણીના ભાઈએ જણાવ્યું હતું.