અક્ષરધામ અને પ્રમુખ સ્વામીના નામે ટપાલ ટિકિટનું કરાયું લોકાર્પણ
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, આ પ્રસંગે હું બાપાને ભાવપૂર્વક વંદન કરું છું. પૂજ્ય બાપા અક્ષરધામમાંથી પણ પોતાના આશિર્વાદ આપી રહ્યા છે તેની સાક્ષી આ ભવ્ય કાર્યક્રમ પુરવાર કરી રહ્યું છે. જે રીતે ગાંધીનું, સરદારનું અને નર્મદનું ગુજરાત જણાય છે તેવી જ રીતે હવે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું ગુજરાત ગણાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતઃ સુરતના દાંડી રોડ ખાતે આયોજિત પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના 96માં જન્મજયંતિ મહોત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ ઉમટી પડ્યા હતા. મહોત્સવમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના આગેવાનો પણ જોડાયા હતા.
ગુજરાત સરકાર દ્ધારા પ્રમુખસ્વામીના જન્મજયંતિ નિમિત્તે કેન્દ્ર સરકારે મહત્વની જાહેર કરાઇ હતી જેમાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને અક્ષરધામની ટપાલ ટિકિટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેની સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ પાલમાં બનનાર સ્ટેડિયમને પ્રમુખસ્વામીનું નામકરણ કરાયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -