સુરત: પતિની હત્યામાં સામેલ વેલ્સીને મળ્યા જામીન, પ્રેમીને મેળવવા કરી હતી હત્યા
ચાર્જશીટ બાદ વેલ્સીએ રજૂ કરેલી જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. આથી મામલો હાઇકોર્ટ પહોંચ્યો હતો. જ્યાં આરોપી તરફે એડવોકેટ કિશન એચ. દહિયાએ દલીલ કરી હતી કે, આરોપી એક મહિલા પણ છે. અને સાથે એક બાળકીની માતા પણ છે. જેના કારણે જામીન મંજૂર અરજી મંજૂર થવી જોઈએ. જે દલીલ કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. અને શરતોને આધીન જામીન આપવામાં આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસ તપાસમાં ખુલાસો થયો કે વેલ્સીએ જ પોતાના પ્રેમી સાથે મળી પતિની હત્યા કરાવી હતી. વેલ્સીના પ્રેમી સુકેતુ અને ડ્રાઇવર ધીરેન્દ્રએ દિશિતની હત્યા કરી હતી.
થોડા સમય પહેલા પાર્લે પોઈન્ટ સ્થિત સર્જન સોસાયટીમાં રહેતા દિશિત જરીવાલાની હત્યા કરવામાં આવી હતી. ખળભળાટ મચાવનારા આ હત્યા કેસમાં શરૂઆતમાં તો આરોપી વેલ્સી જ ફરિયાદી બની હતી.
જોકે જામીનની શરત મુજબ આરોપી વેલ્સી ઉમરા પોલીસ મથકની હદમાં પ્રવેશી શકશે નહીં. જામીન આપતી વખતે આરોપી સ્ત્રી હોવાની બાબત પણ ધ્યાનમાં લેવાઈ હતી. આરોપીને એક બાળકી પણ છે.
સુરત: સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવનારા દિશિત જરીવાલા હત્યાકાંડમાં આરોપી પત્ની વેલ્સીને હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હતા. પિતરાઈ પ્રેમી અને ડ્રાઇવર સાથે મળીને વેલ્સીએ પતિની હત્યા કરાવી હોવાનો આરોપ છે. કોર્ટે વેલ્સીને 25000ના બોન્ડ પર જામીન અપાયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -