✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતના ભજીયાવાલાને ત્યાંથી મળી 105 કરોડની સંપત્તિ, કઈ રીતે બન્યો 250 કરોડનો આસામી ? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Dec 2016 10:37 AM (IST)
1

આ માહિતીના આધારે એક જ નામ કેટલી વાર આવે છે અને વેચનાર કે ખરીદનાર સરખા હોય એવા દસ્તાવેજોની ચકાસણી આઇટી વિભાગે શરૂ કરી દીધી છે. ખાસ કરીને અધિકારીઓએ ચોક્કસ વિસ્તારોમાં થયેલાં જમીનના સોદા પર નજર દોડાવી છે, જેથી ત્વરિત રેકોર્ડ મેળવી શકાય.

2

આઇટી અધિકારીઓએ ભજીયાવાલા પાસે કેટલા વીઘાં જમીન છે એની તપાસ માટે શહેરની સબ રજિસ્ટ્રાર ઓફિસનો સંપર્ક કર્યો છે. કહેવાય છે કે નોટબંધી બાદ અને પહેલાં આ ફાઇનાન્સરે પોતાના અને અન્યોના નામે મોટાપાયે જમીનો ખરીદી લીધી છે.

3

આઇટીને માહિતી મળી હતી કે ભજીયાવાલા 8 નવેમ્બર બાદ ત્રણ બેગ લઇને ઉધનાની પિપલ્સ કો.ઓપરેટિવ બેન્કમાં પ્રવેશ્યો હતો. આથી અધિકારીઓએ બેન્કના સીસીટીવી ફુટેજ ચકાસતાં આ વાત સાચી સાબિત થઈ હતી. જો કે ભજીયવાલાએ પોતે કોઈ બેગ સાથે ગયો ન હોવાનું રટણ ચાલુ રાખતાં અધિકારીઓએ લોકર ખોલ્યાં હતાં.

4

ભજીયાવાલાના ઘરેથી મળેલી ડાયરીઓની પણ તપાસ ચાલી રહી છે. ભજીયાવાલા પોતાની ડાયરીમાં જેને વ્યાજે રૂપિયા આપ્યા હોય તેનું ટુંકુ નામ અને ફિગર 3 આંકડામાં લખતો. કોઇને એક લાખ રૂપિયા આપ્યા હોય તો માત્ર 100 લખે. એન્ટ્રીની આજુબાજુ જય જલારામ લખતો હતો કે જેથી એ એન્ટ્રી મા કોઈ ઉમેરો ન કરી શકે.

5

ભજીયાવાલાનાં કુલ 16 લોકર હતાં અને તેમાંથી આઠ લોકર તે ઓપરેટ કરતો. તેમાંથી રોકડ ઉપરાંત 180 કિલો ચાંદી, 2.50 કરોડની જ્લેલરી, કિસાનવિકાસ પત્ર અને જ્વેલરી મળી રૂપિયા 14 કરોડની મત્તા હાથ લાગી છે. આ ઉપરાંત તેની બંધ ફેક્ટરીમાંથી 90 કરોડના દસ્તાવેજ, સાટાખત અને ચાવીઓ મળી છે.

6

સુરત:આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગે સુરતના ઉધનાના ફાયનાન્સર કિશોર ભજીયાવાલાને ત્યાં હાથ ધરેલા સર્ચ ઓપરેશનમાં જે વિગતો બહાર આવી છે તે જોઈ અધિકારીઓ પણ ચોંકી ગયા છે. એક સમયે માત્ર 25 પૈસામાં ચા વેચતો કિશોર ભજીયાવાલા અત્યારે 250 કરોડનો આસામી હોવાનું બહાર આવ્યું છે.

7

અત્યાર સુધીમાં જ આવકવેરા વિભાગને ભજીયાવાલાના 150 કરોડના હિસાબો મળ્યા છે. ગુરૂવારે જ પિપલ્સ કો.ઓપરેટિવ બેન્કના ઉધના શાખાના લોકરમાંથી રૂપિયા 1.06 કરોડ મળ્યા છે. રસપ્રદ વાત એ છે કે તેમાં 90 લાખની નોટો તો નવી 2000ના દરની છે. તેના ઘરેથી પણ 23 લાખ મળી આવ્યા હતા.

  • હોમ
  • સુરત
  • સુરતના ભજીયાવાલાને ત્યાંથી મળી 105 કરોડની સંપત્તિ, કઈ રીતે બન્યો 250 કરોડનો આસામી ? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.